શું તમને ખબર છે, 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેવું હતું આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું પ્રદર્શન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-06 13:47:44

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોત-પોતાની રીતે મતદારોને આકર્ષવા તેમજ રિઝવવા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં આ વખતે આમ આદમી સરકાર બનાવશે. ચૂંટણીને લઈ આપ એકદમ એક્ટિવ મોડમાં છે. હજી સુધીમાં AAPએ 182માંથી 139 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ જો 2017ની ચૂંટણી પર નજર કરીએ તો આપના ઉમેદવારોને નોટા કરતા પર ઓછા મત મળ્યા હતા. 

BJP, Cong likely to tackle demand for OPS in Himachal Pradesh manifestos |  Deccan Herald   

ગુજરાતમાં ત્રીજો પક્ષ કર્યારેય નથી ફાવતો 

ગુજરાતની રાજનીતિનો ઈતિહાસ જોઈએ તો જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનો ખેલ ચાલી રહ્યો છે. ગુજરાતના લોકો ત્રીજા પક્ષનો સ્વીકાર નથી કરતા. ત્યારે ગુજરાતના ઈતિહાસને પલટવાની વાત આ વખતે આમ આદમી પાર્ટી કરી રહી છે. ગુજરાતમાં આ વખતે આપની સરકાર બનશે તેવો દાવો કરનાર આમ આદમી પાર્ટી જો 2017નો રેકોર્ડ જોવે તો ખબર પડશે કે ગુજરાતમાં સરકાર બનાવવી એટલી સરળ નથી. 2017માં આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. એક પણ ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. સૌથી વધુ વોટ છોટા ઉદેપુરના ઉમેદવારને 4551 મત મળ્યા હતા જ્યારે સૌથી ઓછા વોટ અંકલેશ્વર બેઠકના ઉમેદવારને મળ્યા હતા.

Will Congress be dented by AAP's growing presence in Gujarat?

Gujarat polls 2022: AAP releases 4th list of 12 candidates - Hindustan Times

130થી વધુ ઉમેદવારોના નામ કરાયા છે જાહેર

મતદારોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. કોઈ પણ પાર્ટીએ જ્યારે ઉમેદવારોના નામ જાહેર નહોતા કર્યા ત્યારે આપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. આપે 10મું લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉપરાંત AAPએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઘોષિત કરી દીધા છે.  

AAP declares Gadhvi as its CM candidate for Gujarat | Latest News India -  Hindustan Times

ઉમેદવારો કરતા નોટાને મળ્યા હતા વધારે વોટ

2017માં આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી વિજય મેળવવાની વાત તો દૂર રહી પરંતુ પોતાની ડિપોઝિટને પણ બચાવી શક્યા ન હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને નોટા કરતા પણ ઓછા વોટ મળ્યા હતા. 29 ઉમેદવારોમાંથી માત્ર એક જ ઉમેદવારને નોટા કરતા વધારે મત મળ્યા હતા. 29 ઉમેદવારોમાંથી છોટા ઉદેપુરના ઉમેદવારે બીજા બધા કરતા સારુ પ્રદર્શન કર્યું હતું. અર્જુન રાઠવાને 4135 વોટ મળ્યા હતા જ્યારે નોટામાં 1693 મત પડ્યા હતા. 2017માં આપના 29 ઉમેદવારોને કુલ 29509 વોટ મળ્યા હતા. 

नोटा के बदलते रुझान - nota election commission chhattisgarh mizoram madhya  pradesh telangana rajasthan - AajTak

2017માં કયા ઉમેદવારને આમ આદમી પાર્ટીએ આપી હતી ટિકિટ   

2017માં ઉતારેલ ઉમેદવારોની વાત કરીએ તો ગોવિંદભાઈ દાનીયાને ગાંધીધામ(એસસી)થી ટિકિટ આપવામાં આવી હતી. રમેશ નાભાનીને પાલનપુરથી, રમેશ પટેલને ઊંઝાથી, ગુણવંત પટેલને ગાંધીનગર નોર્થથી, અમજદખાન પઠાણને બાપુનગરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. છાનીયારા તલસીને દસાડા(એસસી)થી, દાધનિયા મુળજીભાઈને ધાંગ્રધાથી, ઉસ્માનગી શેરાસીયાને વાંકાનેરથી, અજીતભાઈને રાજકોટ ઈસ્ટથી, ગીરીશ મારવીયાને રાજકોટ સાઉથથી, નિમીષા ખૂંટને ગોંડલથી, હાર્દિક વાચ્છાની ધોરાજીથી, પરેશ ભંડેરીને જામનગર રૂરલથી ટિકિટ આપવામાં આવી હતી.

જ્યારે ખંભાળીયાથી કેતન પરમાર, લાઠીથી ભાનુભાઈ માંજરીયા, બોટાદથી જીલુ બાવળીયા, છોટા ઉદેપુર(એસસી)થી અર્જુન રાવઠા, વડોદરા(એસસી)થી પરમાર ઠાકોરને, માંજલપુરથી રીતુ બંસલ. કરજણથી હનીફ જામદાર, અંકલેશ્વરછી દુર્ગાપ્રસાદ શર્મા, ઓલપાડથી મનસુખ સાવલિયા, કામરેજથી રામ ધડુકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. સલીમ મુલતાણીને સુરત ઈસ્ટથી, જીજ્ઞેશ મહેતાને કારંજથી, રાષા ઉપાલીયાને લીંબાયતથી, નાગજીભાઈ આંબલિયાને કતારગામથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જતીનકુમાર પટેલને વલસાડથી ટિકિટ આપવામાં આવી હતી જ્યારે રાજીન પાંડેને પારડીથી ટિકિટ આપવામાં આવી હતી.      

Nimisha Khunt | Facebook Ram Dhaduk | Facebook

ત્રણ ઉમેદવારને આ વખતે પણ અપાઈ છે ટિકિટ        

29 ઉમેદવારોમાંથી આમ આદમી પાર્ટી આ વખતે ત્રણ ઉમેદવારોને રિપિટ કર્યા છે. જેમા નિમિષા ખૂંટ, અર્જુન રાઠવા અને રામ ધડુકનો સમાવેશ થાય છે. નિમિષા બેનને આ વખતે ગોંડલથી જ ટિકિટ આપવામાં આવી છે. 2017માં તેમને 2179 વોટ મળ્યા હતા. અર્જુન રાઠવાને છોટા ઉદેપુરથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે રામ ધડુકને કામરેજથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારો પર વિશ્વાસ રાખી તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પાર્ટી દ્વારા રાખવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરશે કે નહિં કે મતગણતરીના દિવસે ખબર પડશે. 

ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, AAPમાં આંતરિક વિખવાદ  થયો છતો | Gujarat AAP youth president Mahipat Singh resigns

Yuvraj Singh Jadeja, arrested, Attempt to Murder, Gandhinagar, LRD exam,  Zee 24 Kalak

AAP Finally Names Presumptive Chief Minister: Ex TV Anchor Isudan Gadhvi

અનેક જાણીતા ચહેરા જોડાયા છે AAPમાં 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. અનેક જાણીતા ચહેરાઓ જેવા કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ જાડેજા. મહિપતસિંહ ચૌહાણ તેમજ અલ્પેશ કથીરિયા જેવા નામદાર ચહેરાઓ આ વખતે આમ આદમી પાર્ટી પાસે છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી 2017 કરતા સારૂ પ્રદર્શન કરશે કે નહિં તે મતદાર નક્કી કરશે.    





ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..