નિ:સ્વાર્થ ભાવનાથી ગરીબોની સેવા કરતા 92 વર્ષીય તબીબે માનવતા મહેંકાવી


  • Published By :
  • Published Date : 2023-04-04 15:15:37

કેટલાક લોકો માટે ઉંમર એ માત્ર એક નંબર છે. તેઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તીથી કામ કરતા હોય છે. નિવૃતિમાં તે ઘરે બેસી રહેવાના બદલે સતત સમાજ ઉપયોગી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. તેમની સેવા ભાવના અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. આવા જ એક સેવાભાવી તબીબ ડો. કપિલ પુરોહિત 92 વર્ષની વયે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે.


92 વર્ષીય સેવાભાવી તબીબ


92 વર્ષીય તબીબ ડો. કપિલ પુરોહિત છેલ્લા 33 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે. તેઓ સુરતથી 40 કિ.મી દુર આદિવાસી વિસ્તારમાં પહોંચીને ગરીબ લોકોની સેવા કરે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વરવાડા ગામમાં કપિલ કાકાના હુલામણા નામે જાણીતા ડો. કપિલ પુરોહિતની સેવા ભાવનાની જીવતી જાગતી મિશાલ છે.


ફીની અપેક્ષા વગર સેવા


ડો. કપિલ પુરોહિત વરવાડા ગામમાં અઠવાડિયાના ચાર દિવસ સેવા આપે છે. ઉત્કટ સેવા ભાવનાવાળા આ તબીબ ફીની અપેક્ષા વગર દર્દીઓની સેવા કરે છે. કોઈ ગરીબ દર્દી જો ફી ન આપી શકે તો પણ ડો. કપિલ પુરોહિત નિ:સ્વાર્થ ભાવનાથી તેની નિ: શુલ્ક સારવાર કરે છે. કોરોના કાળમાં સંક્રમિત થઈ ચુકેલા ડો. કપિલ પુરોહિતના પરિવારજનો તેમને તબીબી પ્રેક્ટિસ છોડી દેવા માટે અનેક વખત સમજાવી ચુક્યા છે. તેમ છતાં તેઓ 92 વર્ષની વયે પણ પુરા જોમ અને જુસ્સાથી ગરીબોની સેવા માટે 40 કિમી ટ્રાવેલ કરી વરવાડા ગામ પહોંચે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.