નિ:સ્વાર્થ ભાવનાથી ગરીબોની સેવા કરતા 92 વર્ષીય તબીબે માનવતા મહેંકાવી


  • Published By :
  • Published Date : 2023-04-04 15:15:37

કેટલાક લોકો માટે ઉંમર એ માત્ર એક નંબર છે. તેઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તીથી કામ કરતા હોય છે. નિવૃતિમાં તે ઘરે બેસી રહેવાના બદલે સતત સમાજ ઉપયોગી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. તેમની સેવા ભાવના અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. આવા જ એક સેવાભાવી તબીબ ડો. કપિલ પુરોહિત 92 વર્ષની વયે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે.


92 વર્ષીય સેવાભાવી તબીબ


92 વર્ષીય તબીબ ડો. કપિલ પુરોહિત છેલ્લા 33 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે. તેઓ સુરતથી 40 કિ.મી દુર આદિવાસી વિસ્તારમાં પહોંચીને ગરીબ લોકોની સેવા કરે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વરવાડા ગામમાં કપિલ કાકાના હુલામણા નામે જાણીતા ડો. કપિલ પુરોહિતની સેવા ભાવનાની જીવતી જાગતી મિશાલ છે.


ફીની અપેક્ષા વગર સેવા


ડો. કપિલ પુરોહિત વરવાડા ગામમાં અઠવાડિયાના ચાર દિવસ સેવા આપે છે. ઉત્કટ સેવા ભાવનાવાળા આ તબીબ ફીની અપેક્ષા વગર દર્દીઓની સેવા કરે છે. કોઈ ગરીબ દર્દી જો ફી ન આપી શકે તો પણ ડો. કપિલ પુરોહિત નિ:સ્વાર્થ ભાવનાથી તેની નિ: શુલ્ક સારવાર કરે છે. કોરોના કાળમાં સંક્રમિત થઈ ચુકેલા ડો. કપિલ પુરોહિતના પરિવારજનો તેમને તબીબી પ્રેક્ટિસ છોડી દેવા માટે અનેક વખત સમજાવી ચુક્યા છે. તેમ છતાં તેઓ 92 વર્ષની વયે પણ પુરા જોમ અને જુસ્સાથી ગરીબોની સેવા માટે 40 કિમી ટ્રાવેલ કરી વરવાડા ગામ પહોંચે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.