વિજય ભાભોર સમજે છે કે લોકતંત્ર તેના બાપનું છે? સંતરામપુરથી સામે આવેલો વીડિયો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે...


  • Published By :
  • Published Date : 2024-05-09 14:28:06

બપોરથી એક સમાચારની ચર્ચા થઈ રહી છે.. સંતરામપૂરના પ્રથમપુર બુથ નંબર 220નો એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામના વ્યક્તિએ બુથ કેપ્ચરિંગ કર્યું.. ગઈકાલે ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું..શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું છે, ઈલેક્શન કમિશનની કામગીરીની પ્રશંસા પણ થઈ.. પરંતુ સંતરામપુરથી જે વીડિયો સામે આવ્યો તેણે તંત્રની કામગીરી પર, ઈલેક્શન કમિશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.. 

જે વીડિયો સામે આવ્યો તેમાં તે કહી રહ્યો છે કે... 

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. સવાલ એ પણ થાય કે આવી કરવાની હિંમત તેનામાં આવી ક્યાંથી? 



ત્યાં હાજર અધિકારીઓને આ અંગે ખબર ના પડે તેવું કેવી રીતે બને? 

વિજય ભાભોર નશાની હાલતમાં દેખાય છે.. વીડિયો જોયા બાદ સવાલ એ થાય કે દારૂ આવ્યું ક્યાંથી? ગુજરાતમાં તો દારૂબંધી છે.. ગુજરાતમાં દારૂ મળે નહીં તો તેને દારૂ ક્યાંથી મળ્યો. બીજો સવાલએ તંત્રની કામગીરી પર પણ ઉઠે.. ત્યાં હાજર અધિકારીઓ પર પણ સવાલ ઉઠે કે તેમણે શા માટે આ વાતની જાણ આગળ ના કરી? શા માટે તેમણે આ મામલે ચૂપી રાખી? આ તો વીડિયો વાયરલ થયો ત્યારે ખબર પડી કે આ બૂથ પર આવા પ્રકારનું કૃત્ય થયું છે ત્યારે આવા અનેક બૂથ હોઈ શકે છે જ્યાં આવી ઘટનાઓ બની હોઈ શકે.. 



કોણે છૂટ આપી વિજય ભાભોરને પોલીંગ બૂથ સુધી ફોન લઈ જવાની?   

સવાલ એ પણ થાય કે ઈલેક્શન બૂથ પર તો ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.. તો વિજય ભાભોરને કેવી રીતે પરમિશન મળી કે તે ફોન પોલીંગ બૂથ પર લઈ જશે અને ત્યાંથી લાઈવ કરી શકે.. પિતા ભાજપમાં હતા એટલે તેને આવું કરવાની હિંમત મળી? આ યુવાનને બૂથના કર્મચારીઓ દ્વારા રોકવામાં કેમ ના આવ્યો? સવાલ એ પણ થાય કે આટલું બધુ થયું ત્યાં સુધી ઈલેક્શન કમિશનને ખબર પણ ના પડી... બહાર પોલીસની ટીમ હોવા છતાંય કેવી રીતે મોબાઈલ ફોન લઈને ત્યાં પહોંચી ગયો, અધિકારીઓ સામે પેલો વ્યક્તિ ફોન કાઢે છે ત્યાં સુધી કોઈએ તેને રોક્યો કેમ નહીં?



તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે પગલા

સવાલો અનેક છે અને આ બાબતે મળતી માહિતી અનુસાર પ્રિસાઈડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, આસી પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમારને નોટિસ આપવામાં આવી છે, તે સિવાય પોલીંગ ઓફિસરને પણ શો-કોઝ નોટિસ અપાઈ છે. મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો છે. પોલીસ દ્વારા વિજય ભાભોરની અટકાયત કરી લેવામાં આવી છે.. 


એ લોકોની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે... 

મહત્વનું છે કે આવા વીડિયો સામે આવે છે ત્યારે એવા અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે સરખી રીતે તે પોતાનું કામ કરતા હોય, નિષ્ઠાપૂર્વક તે કામ કરતા.. અનેક એવા અધિકારીઓ, કર્મચારીઓ છે જેમણે દિવસ રાત એક કરી ચૂંટણી પ્રમાણિકતાથી થાય તે માટે કામ કર્યા છે.. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ તો ઉઠે છે પરંતુ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા...   



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.