વિજય ભાભોર સમજે છે કે લોકતંત્ર તેના બાપનું છે? સંતરામપુરથી સામે આવેલો વીડિયો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે...


  • Published By :
  • Published Date : 2024-05-09 14:28:06

બપોરથી એક સમાચારની ચર્ચા થઈ રહી છે.. સંતરામપૂરના પ્રથમપુર બુથ નંબર 220નો એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામના વ્યક્તિએ બુથ કેપ્ચરિંગ કર્યું.. ગઈકાલે ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું..શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું છે, ઈલેક્શન કમિશનની કામગીરીની પ્રશંસા પણ થઈ.. પરંતુ સંતરામપુરથી જે વીડિયો સામે આવ્યો તેણે તંત્રની કામગીરી પર, ઈલેક્શન કમિશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.. 

જે વીડિયો સામે આવ્યો તેમાં તે કહી રહ્યો છે કે... 

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. સવાલ એ પણ થાય કે આવી કરવાની હિંમત તેનામાં આવી ક્યાંથી? 



ત્યાં હાજર અધિકારીઓને આ અંગે ખબર ના પડે તેવું કેવી રીતે બને? 

વિજય ભાભોર નશાની હાલતમાં દેખાય છે.. વીડિયો જોયા બાદ સવાલ એ થાય કે દારૂ આવ્યું ક્યાંથી? ગુજરાતમાં તો દારૂબંધી છે.. ગુજરાતમાં દારૂ મળે નહીં તો તેને દારૂ ક્યાંથી મળ્યો. બીજો સવાલએ તંત્રની કામગીરી પર પણ ઉઠે.. ત્યાં હાજર અધિકારીઓ પર પણ સવાલ ઉઠે કે તેમણે શા માટે આ વાતની જાણ આગળ ના કરી? શા માટે તેમણે આ મામલે ચૂપી રાખી? આ તો વીડિયો વાયરલ થયો ત્યારે ખબર પડી કે આ બૂથ પર આવા પ્રકારનું કૃત્ય થયું છે ત્યારે આવા અનેક બૂથ હોઈ શકે છે જ્યાં આવી ઘટનાઓ બની હોઈ શકે.. 



કોણે છૂટ આપી વિજય ભાભોરને પોલીંગ બૂથ સુધી ફોન લઈ જવાની?   

સવાલ એ પણ થાય કે ઈલેક્શન બૂથ પર તો ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.. તો વિજય ભાભોરને કેવી રીતે પરમિશન મળી કે તે ફોન પોલીંગ બૂથ પર લઈ જશે અને ત્યાંથી લાઈવ કરી શકે.. પિતા ભાજપમાં હતા એટલે તેને આવું કરવાની હિંમત મળી? આ યુવાનને બૂથના કર્મચારીઓ દ્વારા રોકવામાં કેમ ના આવ્યો? સવાલ એ પણ થાય કે આટલું બધુ થયું ત્યાં સુધી ઈલેક્શન કમિશનને ખબર પણ ના પડી... બહાર પોલીસની ટીમ હોવા છતાંય કેવી રીતે મોબાઈલ ફોન લઈને ત્યાં પહોંચી ગયો, અધિકારીઓ સામે પેલો વ્યક્તિ ફોન કાઢે છે ત્યાં સુધી કોઈએ તેને રોક્યો કેમ નહીં?



તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે પગલા

સવાલો અનેક છે અને આ બાબતે મળતી માહિતી અનુસાર પ્રિસાઈડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, આસી પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમારને નોટિસ આપવામાં આવી છે, તે સિવાય પોલીંગ ઓફિસરને પણ શો-કોઝ નોટિસ અપાઈ છે. મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો છે. પોલીસ દ્વારા વિજય ભાભોરની અટકાયત કરી લેવામાં આવી છે.. 


એ લોકોની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે... 

મહત્વનું છે કે આવા વીડિયો સામે આવે છે ત્યારે એવા અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે સરખી રીતે તે પોતાનું કામ કરતા હોય, નિષ્ઠાપૂર્વક તે કામ કરતા.. અનેક એવા અધિકારીઓ, કર્મચારીઓ છે જેમણે દિવસ રાત એક કરી ચૂંટણી પ્રમાણિકતાથી થાય તે માટે કામ કર્યા છે.. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ તો ઉઠે છે પરંતુ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા...   



ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.