વિજય ભાભોર સમજે છે કે લોકતંત્ર તેના બાપનું છે? સંતરામપુરથી સામે આવેલો વીડિયો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે...


  • Published By :
  • Published Date : 2024-05-09 14:28:06

બપોરથી એક સમાચારની ચર્ચા થઈ રહી છે.. સંતરામપૂરના પ્રથમપુર બુથ નંબર 220નો એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામના વ્યક્તિએ બુથ કેપ્ચરિંગ કર્યું.. ગઈકાલે ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું..શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું છે, ઈલેક્શન કમિશનની કામગીરીની પ્રશંસા પણ થઈ.. પરંતુ સંતરામપુરથી જે વીડિયો સામે આવ્યો તેણે તંત્રની કામગીરી પર, ઈલેક્શન કમિશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.. 

જે વીડિયો સામે આવ્યો તેમાં તે કહી રહ્યો છે કે... 

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. સવાલ એ પણ થાય કે આવી કરવાની હિંમત તેનામાં આવી ક્યાંથી? 



ત્યાં હાજર અધિકારીઓને આ અંગે ખબર ના પડે તેવું કેવી રીતે બને? 

વિજય ભાભોર નશાની હાલતમાં દેખાય છે.. વીડિયો જોયા બાદ સવાલ એ થાય કે દારૂ આવ્યું ક્યાંથી? ગુજરાતમાં તો દારૂબંધી છે.. ગુજરાતમાં દારૂ મળે નહીં તો તેને દારૂ ક્યાંથી મળ્યો. બીજો સવાલએ તંત્રની કામગીરી પર પણ ઉઠે.. ત્યાં હાજર અધિકારીઓ પર પણ સવાલ ઉઠે કે તેમણે શા માટે આ વાતની જાણ આગળ ના કરી? શા માટે તેમણે આ મામલે ચૂપી રાખી? આ તો વીડિયો વાયરલ થયો ત્યારે ખબર પડી કે આ બૂથ પર આવા પ્રકારનું કૃત્ય થયું છે ત્યારે આવા અનેક બૂથ હોઈ શકે છે જ્યાં આવી ઘટનાઓ બની હોઈ શકે.. 



કોણે છૂટ આપી વિજય ભાભોરને પોલીંગ બૂથ સુધી ફોન લઈ જવાની?   

સવાલ એ પણ થાય કે ઈલેક્શન બૂથ પર તો ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.. તો વિજય ભાભોરને કેવી રીતે પરમિશન મળી કે તે ફોન પોલીંગ બૂથ પર લઈ જશે અને ત્યાંથી લાઈવ કરી શકે.. પિતા ભાજપમાં હતા એટલે તેને આવું કરવાની હિંમત મળી? આ યુવાનને બૂથના કર્મચારીઓ દ્વારા રોકવામાં કેમ ના આવ્યો? સવાલ એ પણ થાય કે આટલું બધુ થયું ત્યાં સુધી ઈલેક્શન કમિશનને ખબર પણ ના પડી... બહાર પોલીસની ટીમ હોવા છતાંય કેવી રીતે મોબાઈલ ફોન લઈને ત્યાં પહોંચી ગયો, અધિકારીઓ સામે પેલો વ્યક્તિ ફોન કાઢે છે ત્યાં સુધી કોઈએ તેને રોક્યો કેમ નહીં?



તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે પગલા

સવાલો અનેક છે અને આ બાબતે મળતી માહિતી અનુસાર પ્રિસાઈડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, આસી પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમારને નોટિસ આપવામાં આવી છે, તે સિવાય પોલીંગ ઓફિસરને પણ શો-કોઝ નોટિસ અપાઈ છે. મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો છે. પોલીસ દ્વારા વિજય ભાભોરની અટકાયત કરી લેવામાં આવી છે.. 


એ લોકોની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે... 

મહત્વનું છે કે આવા વીડિયો સામે આવે છે ત્યારે એવા અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે સરખી રીતે તે પોતાનું કામ કરતા હોય, નિષ્ઠાપૂર્વક તે કામ કરતા.. અનેક એવા અધિકારીઓ, કર્મચારીઓ છે જેમણે દિવસ રાત એક કરી ચૂંટણી પ્રમાણિકતાથી થાય તે માટે કામ કર્યા છે.. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ તો ઉઠે છે પરંતુ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.