દિલ્હી- નોઇડામાં પાલતુ શ્વાન રાખતા પહેલા વિચારજો, કૂતરું કરડશે તો માલિકને 10,000નો દંડ, સારવાર ખર્ચ પણ આપવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-13 15:19:39

દેશમાં પાલતું શ્વાન કરવાની સમસ્યા ચિંતાનો વિષય બન્યો છે. રાહદારીઓને અવારનવાર પાલતું કુતરાઓ (pet dogs) કરડતા હોય છે. સુપ્રિમ કોર્ટે પણ આ ગંભીર સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ દિશામાં દિલ્હીના નોઈડા ઓથોરિટી મેનેજમેન્ટ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. હવેથી કુતરાના માલિકે ઈજાગ્રસ્ત વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.


નોઈડા ઓથોરિટીએ શું ગાઈડલાઈન્સ બનાવી?


નોઈડામાં પાલતુ કુતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો છે, તેના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.કૂતરા કરડવાની ફરિયાદોને કારણે, ઓથોરિટીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાના પાલનમાં એક નીતિ તૈયાર કરી છે. આમાં કૂતરા અને બિલાડી બંનેને 31 જાન્યુઆરી સુધીમાં નોઈડામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને દંડ ફટકારવામં આવશે. પાલતુ કૂતરાનું વંધ્યીકરણ અને એન્ટિરેબીઝ રસીકરણ ફરજિયાત છે. જો તેનું પણ પાલન કરી થાય તો 1 માર્ચ, 2023 થી દર મહિને 2,000 રૂપિયાનો દંડ થશે. ઓથોરિટી AOA, RWA અને ગ્રામજનોની સંમતિથી પોતાના ખર્ચે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. જેમાં બીમાર, ઉગ્ર અને આક્રમક શ્વાનને રાખવામાં આવશે. RWA,એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) આશ્રયસ્થાનની જાળવણી માટે જવાબદાર રહેશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે