રાજ્યમાં શ્વાન બની રહ્યા છે હિંસક! એક જ દિવસમાં બે જગ્યાઓથી સામે આવ્યા શ્વાનના હુમલાના કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-04-05 15:21:25

રાજ્યમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા હુમલો થતા અનેક લોકો ઘાયલ થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી બે શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. એક ઘટના પંચમહાલથી સામે આવી છે અને બીજી ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો જ્યારે પંચમહાલમાં પણ બાળક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ શ્વાનોએ બાળક પર હુમલો કરી બાળકને ઘાયલ કર્યો હતો. 


એક જ દિવસમાં શ્વાનના હુમલાની બે ઘટનાઓ સામે આવી 

રખડતાં ઢોર બાદ રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જોવા વધી રહ્યો છે. રાજ્યના લોકો ઢોરના આતંકનો સામનો તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે રખડતાં શ્વાનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. બાળકો પર હુમલો થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં ચારથી પાંચ કૂતરાઓએ એક માસુમ બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. નવસારીમાં પણ આવી જ ઘટના બની છે. કાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શ્વાનને કારણે એક્સિડન્ટ સર્જાયો હતો.   


ક્યારે રખડતાં શ્વાનના આતંકથી મુક્તિ મળશે?  

રખડતાં શ્વાનને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે અનેક લોકોના મોત થતા હોય છે. રખડતાં ઢોરથી રાજ્યના લોકોને મુક્તિ નથી મળી ત્યારે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી માસુમ લોકો રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.