રાજ્યમાં શ્વાન બની રહ્યા છે હિંસક! એક જ દિવસમાં બે જગ્યાઓથી સામે આવ્યા શ્વાનના હુમલાના કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-04-05 15:21:25

રાજ્યમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા હુમલો થતા અનેક લોકો ઘાયલ થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી બે શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. એક ઘટના પંચમહાલથી સામે આવી છે અને બીજી ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો જ્યારે પંચમહાલમાં પણ બાળક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ શ્વાનોએ બાળક પર હુમલો કરી બાળકને ઘાયલ કર્યો હતો. 


એક જ દિવસમાં શ્વાનના હુમલાની બે ઘટનાઓ સામે આવી 

રખડતાં ઢોર બાદ રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જોવા વધી રહ્યો છે. રાજ્યના લોકો ઢોરના આતંકનો સામનો તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે રખડતાં શ્વાનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. બાળકો પર હુમલો થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં ચારથી પાંચ કૂતરાઓએ એક માસુમ બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. નવસારીમાં પણ આવી જ ઘટના બની છે. કાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શ્વાનને કારણે એક્સિડન્ટ સર્જાયો હતો.   


ક્યારે રખડતાં શ્વાનના આતંકથી મુક્તિ મળશે?  

રખડતાં શ્વાનને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે અનેક લોકોના મોત થતા હોય છે. રખડતાં ઢોરથી રાજ્યના લોકોને મુક્તિ નથી મળી ત્યારે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી માસુમ લોકો રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે