રાજ્યમાં શ્વાન બની રહ્યા છે હિંસક! એક જ દિવસમાં બે જગ્યાઓથી સામે આવ્યા શ્વાનના હુમલાના કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-04-05 15:21:25

રાજ્યમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાન દ્વારા હુમલો થતા અનેક લોકો ઘાયલ થતાં હોય છે અથવા તો મોતને ભેટતા હોય છે. ત્યારે આજે રાજ્યમાંથી બે શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. એક ઘટના પંચમહાલથી સામે આવી છે અને બીજી ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો જ્યારે પંચમહાલમાં પણ બાળક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ચારથી પાંચ શ્વાનોએ બાળક પર હુમલો કરી બાળકને ઘાયલ કર્યો હતો. 


એક જ દિવસમાં શ્વાનના હુમલાની બે ઘટનાઓ સામે આવી 

રખડતાં ઢોર બાદ રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક જોવા વધી રહ્યો છે. રાજ્યના લોકો ઢોરના આતંકનો સામનો તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે રખડતાં શ્વાનનો ખતરો પણ સતત વધી રહ્યો છે. બાળકો પર હુમલો થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં ચારથી પાંચ કૂતરાઓએ એક માસુમ બાળક પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. નવસારીમાં પણ આવી જ ઘટના બની છે. કાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં શ્વાનને કારણે એક્સિડન્ટ સર્જાયો હતો.   


ક્યારે રખડતાં શ્વાનના આતંકથી મુક્તિ મળશે?  

રખડતાં શ્વાનને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે જ્યારે અનેક લોકોના મોત થતા હોય છે. રખડતાં ઢોરથી રાજ્યના લોકોને મુક્તિ નથી મળી ત્યારે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ છે કે ક્યાં સુધી માસુમ લોકો રખડતાં ઢોર અને રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે? મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.