ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં - કિશોર કાનાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 13:29:19

ગુજરાતમાં પ્રચારનો ધમધમાત જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરવામાં લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સળગતો મુદ્દો મળતા અનેક નેતાઓએ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી ટ્વિટ પણ કર્યું છે. બ્રિજેશ મેરજા અને કિશોર કાનાણીએ ટ્વિટ કરતા આપને હિંદુ વિરોધી ગણાવી છે. બ્રિજેશ મેરજાએ તો પોતાની ટ્વિટ ડિલિટ કરી નાખી પરંતુ કિશોર કાનાણીએ પોતાની ટ્વિટ ડિલિટ નથી કરી.     

ભાજપના નેતાઓના નિશાન પર અરવિંદ કેજરીવાલ  

ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર નથી થઈ. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે પણ રાજનીતિને બાજૂમાં રાખી ધર્મની રાજનીતિ શરૂ થાય છે ત્યારે ચૂંટણી નજીક હોય તેવું માનવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કિશોર કાનાણીએ ટ્વિટ કરી લખ્યું કે કેજરીવાલના નવરાત્રિના ઉત્સવને ઉજવણી નહીં પરંતુ જશ્ન ગણાવી પવિત્ર તહેવારનું અપમાન કરી હિંદુ ધર્મની મજા ઉડાવે છે.  



બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે હિન્દુ ધર્મને અપનાવવાનું ઢોંગ કરનાર ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં. ઈફતારી પાર્ટીની માણતો લિજ્જત માણતો, શાહીનબાગનો સમર્થન કરતો, ટૂકડે ટૂકડે ગેંગનો સાથીદાર અને વકફ બોર્ડનો ચાહક કેજરીવાલ હિંદુ માટે ખતરો સમાન.             




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે