ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં - કિશોર કાનાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 13:29:19

ગુજરાતમાં પ્રચારનો ધમધમાત જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરવામાં લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સળગતો મુદ્દો મળતા અનેક નેતાઓએ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી ટ્વિટ પણ કર્યું છે. બ્રિજેશ મેરજા અને કિશોર કાનાણીએ ટ્વિટ કરતા આપને હિંદુ વિરોધી ગણાવી છે. બ્રિજેશ મેરજાએ તો પોતાની ટ્વિટ ડિલિટ કરી નાખી પરંતુ કિશોર કાનાણીએ પોતાની ટ્વિટ ડિલિટ નથી કરી.     

ભાજપના નેતાઓના નિશાન પર અરવિંદ કેજરીવાલ  

ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર નથી થઈ. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે પણ રાજનીતિને બાજૂમાં રાખી ધર્મની રાજનીતિ શરૂ થાય છે ત્યારે ચૂંટણી નજીક હોય તેવું માનવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કિશોર કાનાણીએ ટ્વિટ કરી લખ્યું કે કેજરીવાલના નવરાત્રિના ઉત્સવને ઉજવણી નહીં પરંતુ જશ્ન ગણાવી પવિત્ર તહેવારનું અપમાન કરી હિંદુ ધર્મની મજા ઉડાવે છે.  



બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે હિન્દુ ધર્મને અપનાવવાનું ઢોંગ કરનાર ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં. ઈફતારી પાર્ટીની માણતો લિજ્જત માણતો, શાહીનબાગનો સમર્થન કરતો, ટૂકડે ટૂકડે ગેંગનો સાથીદાર અને વકફ બોર્ડનો ચાહક કેજરીવાલ હિંદુ માટે ખતરો સમાન.             




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .