ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં - કિશોર કાનાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 13:29:19

ગુજરાતમાં પ્રચારનો ધમધમાત જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરવામાં લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ગયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સળગતો મુદ્દો મળતા અનેક નેતાઓએ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવી ટ્વિટ પણ કર્યું છે. બ્રિજેશ મેરજા અને કિશોર કાનાણીએ ટ્વિટ કરતા આપને હિંદુ વિરોધી ગણાવી છે. બ્રિજેશ મેરજાએ તો પોતાની ટ્વિટ ડિલિટ કરી નાખી પરંતુ કિશોર કાનાણીએ પોતાની ટ્વિટ ડિલિટ નથી કરી.     

ભાજપના નેતાઓના નિશાન પર અરવિંદ કેજરીવાલ  

ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર નથી થઈ. પરંતુ કહેવામાં આવે છે કે જ્યારે પણ રાજનીતિને બાજૂમાં રાખી ધર્મની રાજનીતિ શરૂ થાય છે ત્યારે ચૂંટણી નજીક હોય તેવું માનવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કિશોર કાનાણીએ ટ્વિટ કરી લખ્યું કે કેજરીવાલના નવરાત્રિના ઉત્સવને ઉજવણી નહીં પરંતુ જશ્ન ગણાવી પવિત્ર તહેવારનું અપમાન કરી હિંદુ ધર્મની મજા ઉડાવે છે.  



બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે હિન્દુ ધર્મને અપનાવવાનું ઢોંગ કરનાર ખાલિસ્તાની કેજરીવાલને ગુજરાતમાં એક પણ મોકો નહીં. ઈફતારી પાર્ટીની માણતો લિજ્જત માણતો, શાહીનબાગનો સમર્થન કરતો, ટૂકડે ટૂકડે ગેંગનો સાથીદાર અને વકફ બોર્ડનો ચાહક કેજરીવાલ હિંદુ માટે ખતરો સમાન.             




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.