મોંઘવારીનો ડબલ માર, દૂધ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો વધારો, જાણો કેટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-04-06 09:24:40

દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્યમવર્ગીય પરિવાર માટે વધતી મોંઘવારી અસહ્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા હતા. ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 90 રુપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ સિંગતેલના ભાવ ડબ્બે 2910-2960 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   


સતત વધતી મોંઘવારીને કારણે ખોરવાયું ગૃહિણીનું બજેટ   

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. રોજ સવારે મોંઘવારીના સમાચાર સાંભળવા હવે સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. તે ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.