મોંઘવારીનો ડબલ માર, દૂધ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો વધારો, જાણો કેટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-04-06 09:24:40

દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્યમવર્ગીય પરિવાર માટે વધતી મોંઘવારી અસહ્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા હતા. ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 90 રુપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ સિંગતેલના ભાવ ડબ્બે 2910-2960 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   


સતત વધતી મોંઘવારીને કારણે ખોરવાયું ગૃહિણીનું બજેટ   

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. રોજ સવારે મોંઘવારીના સમાચાર સાંભળવા હવે સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. તે ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.