મોંઘવારીનો ડબલ માર, દૂધ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો વધારો, જાણો કેટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-04-06 09:24:40

દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્યમવર્ગીય પરિવાર માટે વધતી મોંઘવારી અસહ્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા હતા. ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 90 રુપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ સિંગતેલના ભાવ ડબ્બે 2910-2960 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   


સતત વધતી મોંઘવારીને કારણે ખોરવાયું ગૃહિણીનું બજેટ   

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. રોજ સવારે મોંઘવારીના સમાચાર સાંભળવા હવે સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. તે ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.