મોંઘવારીનો ડબલ માર, દૂધ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો વધારો, જાણો કેટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-04-06 09:24:40

દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્યમવર્ગીય પરિવાર માટે વધતી મોંઘવારી અસહ્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા હતા. ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 90 રુપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ સિંગતેલના ભાવ ડબ્બે 2910-2960 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   


સતત વધતી મોંઘવારીને કારણે ખોરવાયું ગૃહિણીનું બજેટ   

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. રોજ સવારે મોંઘવારીના સમાચાર સાંભળવા હવે સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. તે ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે