વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં BJP સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ


  • Published By :
  • Published Date : 2023-02-19 12:35:16

વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દેનારા ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ  કે  ડૉ. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIR નોંધાવી છે. ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પંથકમાં હડકંપ મચી ગયો છે.


જાનથી મારી નાંખવાની ધમકી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પહોંચેલા હિતાર્થ ચગે ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવ્યો છે. વળી જ્યારે ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી આપી હતી. 


ડૉ. ચગની સ્યુસાઈડ નોટ સાચી


ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના જણાવ્યા પ્રમાણે ડૉ. અતુલ ચગે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી છે, તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજના સમયે લગભગ 7 વાગ્યે થઈ હતી. 


સાંસદની ધરપકડ કરો-લોહાણા સમાજ 


આ સાથે જ સમગ્ર લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી તે આશ્ચર્યની વાત છે. સમગ્ર લોહાણા સમાજ વતી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


મામલો શું હતો?


ડૉ. અતુલ ચગે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત તબીબ હતા. તેમણે 12 ફેબ્રૂઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ.ચગના મૃતદેહ પાસેથી તેમણે લખેલી એક સ્યુસાઈટ નોટ પણ પોલીસને મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. જેમાં ડૉ.ચગે લખ્યું હતુ કે, "હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું". આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મામલે હજું સુધી સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી નથી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.