વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં BJP સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ


  • Published By :
  • Published Date : 2023-02-19 12:35:16

વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દેનારા ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ  કે  ડૉ. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIR નોંધાવી છે. ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પંથકમાં હડકંપ મચી ગયો છે.


જાનથી મારી નાંખવાની ધમકી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પહોંચેલા હિતાર્થ ચગે ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવ્યો છે. વળી જ્યારે ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી આપી હતી. 


ડૉ. ચગની સ્યુસાઈડ નોટ સાચી


ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના જણાવ્યા પ્રમાણે ડૉ. અતુલ ચગે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી છે, તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજના સમયે લગભગ 7 વાગ્યે થઈ હતી. 


સાંસદની ધરપકડ કરો-લોહાણા સમાજ 


આ સાથે જ સમગ્ર લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી તે આશ્ચર્યની વાત છે. સમગ્ર લોહાણા સમાજ વતી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


મામલો શું હતો?


ડૉ. અતુલ ચગે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત તબીબ હતા. તેમણે 12 ફેબ્રૂઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ.ચગના મૃતદેહ પાસેથી તેમણે લખેલી એક સ્યુસાઈટ નોટ પણ પોલીસને મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. જેમાં ડૉ.ચગે લખ્યું હતુ કે, "હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું". આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મામલે હજું સુધી સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી નથી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.