વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં BJP સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ


  • Published By :
  • Published Date : 2023-02-19 12:35:16

વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દેનારા ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ  કે  ડૉ. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIR નોંધાવી છે. ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પંથકમાં હડકંપ મચી ગયો છે.


જાનથી મારી નાંખવાની ધમકી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પહોંચેલા હિતાર્થ ચગે ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવ્યો છે. વળી જ્યારે ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી આપી હતી. 


ડૉ. ચગની સ્યુસાઈડ નોટ સાચી


ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના જણાવ્યા પ્રમાણે ડૉ. અતુલ ચગે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી છે, તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજના સમયે લગભગ 7 વાગ્યે થઈ હતી. 


સાંસદની ધરપકડ કરો-લોહાણા સમાજ 


આ સાથે જ સમગ્ર લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી તે આશ્ચર્યની વાત છે. સમગ્ર લોહાણા સમાજ વતી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


મામલો શું હતો?


ડૉ. અતુલ ચગે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત તબીબ હતા. તેમણે 12 ફેબ્રૂઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ.ચગના મૃતદેહ પાસેથી તેમણે લખેલી એક સ્યુસાઈટ નોટ પણ પોલીસને મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. જેમાં ડૉ.ચગે લખ્યું હતુ કે, "હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું". આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મામલે હજું સુધી સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી નથી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.