વેરાવળના ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં BJP સાંસદ રાજેશ ચુડાસમા સામે FIR નોંધાઈ


  • Published By :
  • Published Date : 2023-02-19 12:35:16

વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી દેનારા ડૉ. અતુલ ચગની આત્મહત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમ  કે  ડૉ. અતુલ ચગના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે FIR નોંધાવી છે. ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પંથકમાં હડકંપ મચી ગયો છે.


જાનથી મારી નાંખવાની ધમકી


વેરાવળ સીટી પોલીસ સ્ટેશન પહોંચેલા હિતાર્થ ચગે ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા જવાબદાર હોવાના આરોપ સાથે લગાવ્યો હતો અને તેમના વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવાયો છે. એટલું જ નહીં ઉછીના લીધેલા રૂપિયા સામે નારણભાઈએ આપેલા ચેક પણ પરત ફર્યા હોવાના પણ આરોપ લગાવ્યો છે. વળી જ્યારે ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમને જાનથી મારી નાંખવાની અને પુત્રના અપહરણની ધમકી આપી હતી. 


ડૉ. ચગની સ્યુસાઈડ નોટ સાચી


ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના જણાવ્યા પ્રમાણે ડૉ. અતુલ ચગે આત્મહત્યા સમયે લખેલી સ્યુસાઈડ નોટ સાચી છે, તેમજ તે અક્ષર પણ ડૉકટર અતુલ ચગના જ છે. સાત પાનાની આ અરજી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એટલે કે 17 ફેબ્રુઆરીના સાંજના સમયે લગભગ 7 વાગ્યે થઈ હતી. 


સાંસદની ધરપકડ કરો-લોહાણા સમાજ 


આ સાથે જ સમગ્ર લોહાણા સમાજના પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે. તેમનું કહેવું છે કે ફરિયાદ આપ્યાંને કલાકો વિતી ગયા છે, ગંભીર ઘટના છે છતાં પોલીસ ફરિયાદ નથી નોંધતી તે આશ્ચર્યની વાત છે. સમગ્ર લોહાણા સમાજ વતી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


મામલો શું હતો?


ડૉ. અતુલ ચગે વેરાવળના ખુબ જ પ્રતિષ્ઠિત તબીબ હતા. તેમણે 12 ફેબ્રૂઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ.ચગના મૃતદેહ પાસેથી તેમણે લખેલી એક સ્યુસાઈટ નોટ પણ પોલીસને મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. જેમાં ડૉ.ચગે લખ્યું હતુ કે, "હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું". આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, આ મામલે હજું સુધી સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી નથી. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.