ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-01-15 21:06:28

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ અંતે રાજીનામું આપી દીધું છે, ખીમાણીએ હટવું પડે એ પહેલાં તેમણે રાજીનામું આપી  દેવાનું મુનાસિબ માન્યું છે. કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો તત્કાળ સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આજે 15 જાન્યુઆરીએ કુલનાયક પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર આગામી તારીખ 17 મી ફેબ્રુઆરી સુધીમાં ડૉ. રાજેન્દ્ર ખીમાણીને કુલનાયકના હોદ્દા પરથી ખસેડવા પડે એ નિશ્ચિત હતું. આ સંભાવનાને પગલે જ ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આજે રાજીનામું આપી દીધું છે. 


UGCએ ઠેરવ્યા હતા ગેરલાયક


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ ડો.રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકેની નિમણૂક ગેરલાયક ઠેરવીને તેમને પદ પરથી હટાવવાની ભલામણ વિદ્યાપીઠના કુલપતિને કરી હતી. યુજીસીની આ ભલામણ સામે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટે યુજીસીની ભલામણ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો અને હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)એ જે ભલામણો કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ યુજીસીની ભલામણના આધારે જ નિર્ણય કરે. ગુજરાત હાઇકોર્ટના આ આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવવાનો નિર્ણય લેવાના જ હતા એ દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-યુજીસીની ભલામણ અનુસાર ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.