Ahmedabad ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસ : દીકરીને ન્યાય અપાવવા બ્રહ્મ સમાજ મેદાને, પોલીસ કમિશ્નરને લખ્યો પત્ર અને તટસ્થ તપાસની કરી માગ!


  • Published By :
  • Published Date : 2024-03-16 13:18:02

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો.વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પીઆઈ ખાચર પરણીત હોવા છતાંય ડો.વૈશાલી જોશીને પહેલા પ્રેમમાં ફસાવી અને પછી તેની સાથે વિશ્વાસઘાત કર્યો. પ્રેમમાં મળેલી નિષ્ફળતાને તે પચાવી શકી નહીં અને તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના બની ત્યારથી પીઆઈ ખાચર ફરાર છે અને ઘણો સમય વિત્યો પરંતુ પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ મોડે મોડે તો પણ પીઆઈ ખાચર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આખું સમાજ આગળ આવ્યું છે. ન માત્ર વૈશાલીને ન્યાય મળે પરંતુ આવી દુર્ઘટનાઓ રોકાય તે માટે થઈ સમાજના આગેવાનોએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે.  

સમાજના લોકો દીકરીને ન્યાય અપાવવા માટે આવ્યા મેદાને!

પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ અનેક લોકો આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. પહેલા પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી તેમના દિલને તોડી નાખે છે. દીકરીઓની સંવેદનાઓ અને તેમની લાગણી સાથે રમત રમે છે અને જ્યારે પ્રેમ સંબંધથી દિલ ભરાઈ જાય ત્યારે પ્રેમ સંબંધને તોડી નાખે છે અને પછી એક બીજાથી અલગ થઈ જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો,વૈશાલી જોશીએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે કિસ્સામાં પણ આવું જ હતું. પરણીત હોવા છતાં પીઆઈ ખાચરે ડો. વૈશાલીને પ્રેમ જાળમાં ફસાવી. ડો. વૈશાલી જોશીએ તો આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી લીધું પરંતુ આવું પગલું કોઈ બીજું ના લે માટે બ્રહ્મસમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે.  



પોલીસ કમિશ્નરને લખ્યો પત્ર અને વિનંતી કરી કે... 

જે પત્ર બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા લખવામાં આવ્યો છે તેમાં અનેક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડો. વૈશાલી જોશીના પિતા આ દુનિયામાં નથી, નથી તો વૈશાલીને કોઈ ભાઈ, માત્ર એક બહેન છે અને તેમની માતા છે. બહેન પણ અહીંયા નથી રહેતી. પીઆઈ ખાચરને આ બધી વસ્તુઓની જાણ હોવા છતાંય પીઆઈએ ડો.વૈશાલી સાથે સંબંધ રાખ્યો, અને પછી તે પ્રેમને તોડી દીધો. પ્રેમમાં કોઈનું દિલ તોડવું તો ગુન્હો જ છે પરંતુ જ્યારે આવું કૃત્ય કોઈ પોલીસવાળા કરે છે તો તે અસ્વીકાર્ય છે. જે પત્ર સમાજના આગેવાનો દ્વારા લખવામાં આવ્યા છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે -        


ન્યાયની ઝંખના ખાલી અમારી દીકરી માટે નથી...  

ડૉ.વૈશાલી બ્રહ્મ સમાજની દિકરી હોવાના નાતે અમે એના માટે ન્યાયની અપેક્ષા કરી રહ્યા છીએ, પણ સાથે એ વાત પર ધ્યાન દોરવા માંગીશું કે આ ઘટના માટે ન્યાયની ઝંખના ખાલી અમારી દિકરી માટે નથી, આવી અનેક દિકરીઓ દરરોજ પોતાનું જીવન ટુંકાવે છે કેમ કે એ પીઆઈ ખાચર જેવા કોઈ ફ્રોડમાં પોતાનો પ્રેમ શોધી બેસે છે, આવા લોકો દીકરીના સંવેદનશીલ માનસથી પરિચિત હોવા છતા પણ એની લાગણીઓ સાથે રમત રમે છે અને મોતના મોંમા ધકેલે છે, આવા લોકોને ખબર હોય છે કે છોકરીને છેતરવાનું પરિણામ શું આવી શકે તો પણ એ સતત એની સાથે રમત રમે છે. તમે સમાજના પ્રહરી છો, તમે અમારી આ લડાઈ અને લાગણીને સમાજના દરેક હિસ્સા સુધી પહોંચાડો અને દરેક દિકરી, દિકરીના માતા-પિતા જાગૃત થાય, આવા પુરૂષો પણ સ્થિતિની ગંભીરતા સમજે અને આવી દુર્ઘટનાઓ રોકાય એના માટે તમારી મદદની અપેક્ષા છે. 



પોલીસની કામગીરી પર પણ ઉઠ્યા અનેક સવાલ! 

એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજની મહિલાઓ માત્ર એટલી અપેક્ષા રાખીએ છીએ કે નિષ્પક્ષભાવે પોલીસ તપાસ કરે, અને એ સંદેશો સમાજમાં બેસાડે કે પ્રેમના નામે કોઈની પણ સાથે થતા ગેરવ્યવહારો અને અંતે આવતા આવા ભયાનક પરિણામો સામે લડવા માટે પોલીસ નિષ્પક્ષતાથી કાર્ય કરી રહી છે. અહીં આરોપી પોલીસનો કર્મચારી હોવાના નાતે સમાજના લોકો પણ શંકાની દ્રષ્ટીથી જોઈ રહ્યા છે કે આટલા સમય સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ જ એ વ્યક્તિને બચાવવામાં લાગેલો નહીં હોયને? સમાજ જીવનમાં કોઈ પણ યુવા આ રીતે દુષ્પ્રેરણાથી ખોટું પગલું ના લે એના માટે જાગૃતિની દિશામાં અમે ચોક્કસ કામ કરીશું,આપની પાસેથી નિષ્પક્ષ તપાસ અને ડૉ.વૈશાલીના માધ્યમથી દિકરી માત્રને ન્યાયની અપેક્ષા છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.