માતાજીની વેશભૂષા ધારણ કરી દિકરીઓ ગરબે ઘૂમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:05:03

નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન ગરબાનું વિશેષ મહત્વ રહેલુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ઘૂમવામાં આવે છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વાગડ વિસ્તારમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ શક્તિના નવ રુપો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. 

વિવિધ દેવીઓનું રુપ લઈ ખેલૈયાઓએ કર્યા ગરબા  

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ  સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. એક તરફ શહેરમાં જ્યાં ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા રમે છે તો ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અંતર્ગત નવદુર્ગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાની પરંપરાને ભૂલ્યા નથી. ખેલૈયાઓઅ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિના ભક્તિ રંગમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ ગયા હતા. ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામમાં શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગાના સ્વરૂપ રુપે નાની બાળાઓ દુર્ગાની વેશ ભૂષામાં ગરબા રમતા જોવા મળી હતી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .