માતાજીની વેશભૂષા ધારણ કરી દિકરીઓ ગરબે ઘૂમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:05:03

નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન ગરબાનું વિશેષ મહત્વ રહેલુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ઘૂમવામાં આવે છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વાગડ વિસ્તારમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ શક્તિના નવ રુપો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. 

વિવિધ દેવીઓનું રુપ લઈ ખેલૈયાઓએ કર્યા ગરબા  

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ  સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. એક તરફ શહેરમાં જ્યાં ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા રમે છે તો ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અંતર્ગત નવદુર્ગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાની પરંપરાને ભૂલ્યા નથી. ખેલૈયાઓઅ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિના ભક્તિ રંગમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ ગયા હતા. ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામમાં શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગાના સ્વરૂપ રુપે નાની બાળાઓ દુર્ગાની વેશ ભૂષામાં ગરબા રમતા જોવા મળી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.