DRIનો સપાટો, વાપીની પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી 121 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપ્યું


  • Published By :
  • Published Date : 2023-11-06 21:16:45

ગુજરાતના નશાકારક દ્રવ્યોની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી છે, રાજ્યમાં અવારનવાર માદક પદોર્થોનો જથ્થો પકડાયો રહે છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની જાળ એટલી વ્યાપક રીતે ફેલાયેલી છે કે પોલીસ માટે પણ તેને ભેદવી મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં જેટલો ડ્ર્ગ્સનો જથ્થો ઝડપાય છે તેનાથી વધુ તો તેની તસ્કરી અને વેચાણ થઈ રહ્યું છે. DRIએ વાપી જીઆઈડીસીમાં રેડ પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.


DRIની મોટી કાર્યવાહી


DRIની ટીમે બાતમીના આધારે વાપી જીઆઇડીસીમાં દરોડો પાડ્યો હતો. DRIની ટીમે પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. DRIએ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ ઝડપ્યું હતું. આ MD ડ્રગ્સની બજાર કિંમત 180 કરોડથી વધારે છે. DRIની ટીમને એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.