DRIનો સપાટો, વાપીની પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી 121 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપ્યું


  • Published By :
  • Published Date : 2023-11-06 21:16:45

ગુજરાતના નશાકારક દ્રવ્યોની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી છે, રાજ્યમાં અવારનવાર માદક પદોર્થોનો જથ્થો પકડાયો રહે છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની જાળ એટલી વ્યાપક રીતે ફેલાયેલી છે કે પોલીસ માટે પણ તેને ભેદવી મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં જેટલો ડ્ર્ગ્સનો જથ્થો ઝડપાય છે તેનાથી વધુ તો તેની તસ્કરી અને વેચાણ થઈ રહ્યું છે. DRIએ વાપી જીઆઈડીસીમાં રેડ પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.


DRIની મોટી કાર્યવાહી


DRIની ટીમે બાતમીના આધારે વાપી જીઆઇડીસીમાં દરોડો પાડ્યો હતો. DRIની ટીમે પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. DRIએ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ ઝડપ્યું હતું. આ MD ડ્રગ્સની બજાર કિંમત 180 કરોડથી વધારે છે. DRIની ટીમને એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.