બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી મહિલા પાસેથી 4.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-08 15:04:47

રાજ્યમાં નશાકારક દ્રવ્યોની તસ્કરીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં ડ્રગ્સ માફિયા સક્રિય છે અને નશાકારક પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સનો જથ્થો પણ અવારનવાર પકડાય છે પણ હકીકત એ પણ છે કે જેટલું ડ્રગ્સ ઝડપાય છે તેનાથી અનેક ગણા ડ્રગ્સનું વેચાણ પણ થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાના જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.


મહિલા પાસેથી મળ્યું 4.5 કરોડનું ડ્રગ્સ


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસમાંથી પોલીસે ડ્રગ્સનો ઝથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક એલસીબી અને એસઓજીને બાતમી મળી હતી અને જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબની બસ ચેકપોસ્ટ પર આવતા જ તેમાં તલાશી લેતા એક મહિલા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તે મહિલાની મહિલાની અટકાયત કરીને અમીરગઢ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે તે મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે કે 4 કરોડ 50 લાખ રુપિયાની કિંમતનુ આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે