બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી મહિલા પાસેથી 4.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-11-08 15:04:47

રાજ્યમાં નશાકારક દ્રવ્યોની તસ્કરીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં ડ્રગ્સ માફિયા સક્રિય છે અને નશાકારક પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સનો જથ્થો પણ અવારનવાર પકડાય છે પણ હકીકત એ પણ છે કે જેટલું ડ્રગ્સ ઝડપાય છે તેનાથી અનેક ગણા ડ્રગ્સનું વેચાણ પણ થઈ રહ્યું છે. આજે બનાસકાંઠાના જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.


મહિલા પાસેથી મળ્યું 4.5 કરોડનું ડ્રગ્સ


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એક ખાનગી બસમાંથી પોલીસે ડ્રગ્સનો ઝથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક એલસીબી અને એસઓજીને બાતમી મળી હતી અને જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબની બસ ચેકપોસ્ટ પર આવતા જ તેમાં તલાશી લેતા એક મહિલા પાસેથી ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તે મહિલાની મહિલાની અટકાયત કરીને અમીરગઢ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે તે મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે કે 4 કરોડ 50 લાખ રુપિયાની કિંમતનુ આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.