દિલ્હીના સુલ્તાનપુરીમાં યુવતીનું દર્દનાક મોત, અકસ્માત બાદ 10 કિમી સુધી કાર સાથે ઢસડાઈ


  • Published By :
  • Published Date : 2023-01-01 20:21:47

દેશની રાજધાની દિલ્હીની બહાર રૂવાડાં ઉભા કરી દે તેવી ઘટના બની છે. દારૂના નશામાં ચકચુર બનેલા અને બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી પર સવાર છોકરીને ટક્કર મારી હતી. બલેનો કારથી યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડવામાં આવતા છોકરીનું દર્દનાક મોત થયું હતું. મૃતક યુવતીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 


પાંચેય આરોપીઓની ધરપકડ


દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના શબનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી છે. આરોપીઓનું કહેવું છે કે તે શરાબના નશામાં હતા અને કારમાં ઉંચા અવાજમાં મ્યુઝિક સાંભળતા હતા. આ જ કારણે તેમને યુવતી કારમાં ફસાઈ છે તે અંગે ખબર પડી ન હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ ઘટના અંગે કહ્યું હતું કે પકડાયેલા યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. દીપક ખન્ના, કૃષ્ણ, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના નબીરાઓએ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.