દિલ્હીના સુલ્તાનપુરીમાં યુવતીનું દર્દનાક મોત, અકસ્માત બાદ 10 કિમી સુધી કાર સાથે ઢસડાઈ


  • Published By :
  • Published Date : 2023-01-01 20:21:47

દેશની રાજધાની દિલ્હીની બહાર રૂવાડાં ઉભા કરી દે તેવી ઘટના બની છે. દારૂના નશામાં ચકચુર બનેલા અને બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી પર સવાર છોકરીને ટક્કર મારી હતી. બલેનો કારથી યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડવામાં આવતા છોકરીનું દર્દનાક મોત થયું હતું. મૃતક યુવતીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 


પાંચેય આરોપીઓની ધરપકડ


દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના શબનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી છે. આરોપીઓનું કહેવું છે કે તે શરાબના નશામાં હતા અને કારમાં ઉંચા અવાજમાં મ્યુઝિક સાંભળતા હતા. આ જ કારણે તેમને યુવતી કારમાં ફસાઈ છે તે અંગે ખબર પડી ન હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ ઘટના અંગે કહ્યું હતું કે પકડાયેલા યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. દીપક ખન્ના, કૃષ્ણ, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના નબીરાઓએ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.