દિલ્હીના સુલ્તાનપુરીમાં યુવતીનું દર્દનાક મોત, અકસ્માત બાદ 10 કિમી સુધી કાર સાથે ઢસડાઈ


  • Published By :
  • Published Date : 2023-01-01 20:21:47

દેશની રાજધાની દિલ્હીની બહાર રૂવાડાં ઉભા કરી દે તેવી ઘટના બની છે. દારૂના નશામાં ચકચુર બનેલા અને બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી પર સવાર છોકરીને ટક્કર મારી હતી. બલેનો કારથી યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડવામાં આવતા છોકરીનું દર્દનાક મોત થયું હતું. મૃતક યુવતીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 


પાંચેય આરોપીઓની ધરપકડ


દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના શબનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી છે. આરોપીઓનું કહેવું છે કે તે શરાબના નશામાં હતા અને કારમાં ઉંચા અવાજમાં મ્યુઝિક સાંભળતા હતા. આ જ કારણે તેમને યુવતી કારમાં ફસાઈ છે તે અંગે ખબર પડી ન હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ ઘટના અંગે કહ્યું હતું કે પકડાયેલા યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. દીપક ખન્ના, કૃષ્ણ, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના નબીરાઓએ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.