દિલ્હીના સુલ્તાનપુરીમાં યુવતીનું દર્દનાક મોત, અકસ્માત બાદ 10 કિમી સુધી કાર સાથે ઢસડાઈ


  • Published By :
  • Published Date : 2023-01-01 20:21:47

દેશની રાજધાની દિલ્હીની બહાર રૂવાડાં ઉભા કરી દે તેવી ઘટના બની છે. દારૂના નશામાં ચકચુર બનેલા અને બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી પર સવાર છોકરીને ટક્કર મારી હતી. બલેનો કારથી યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડવામાં આવતા છોકરીનું દર્દનાક મોત થયું હતું. મૃતક યુવતીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 


પાંચેય આરોપીઓની ધરપકડ


દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના શબનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી છે. આરોપીઓનું કહેવું છે કે તે શરાબના નશામાં હતા અને કારમાં ઉંચા અવાજમાં મ્યુઝિક સાંભળતા હતા. આ જ કારણે તેમને યુવતી કારમાં ફસાઈ છે તે અંગે ખબર પડી ન હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ ઘટના અંગે કહ્યું હતું કે પકડાયેલા યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. દીપક ખન્ના, કૃષ્ણ, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના નબીરાઓએ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.