દૂધસાગર ડેરીએ દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:01:38

ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના પશુપાલકોને દૂધસાગર ડેરીએ દિવાળીની ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. આ નિર્ણયથી પશુપાલકોની દિવાળી સારી જશે. દૂધસાગર ડેરીના આ નિર્ણયથી દૂધ ભરાવતા સાડા છ લાખ પશુપાલકોની દિવાળી સુધરશે. 


દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો 

21 ઓક્ટોબરથી પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવશે. દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે દૂધસાગર ડેરી ખેડૂતોને હાલ 730 રૂપિયા ચૂકવતી હતી. હવે દસ રૂપિયાનો વધારો થયા બાદ દૂધસાગર ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 740 રૂપિયા ચૂકવશે.  


દૂધસાગર ડેરી વિશે....

આમ તો દૂધસાગર ડેરીનું મૂળ નામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ છે. દૂધસાગર ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો એક વિભાગ છે જે ગુજરાત સરકારના સહકાર મંત્રાલયની માલિકી હેઠળ છે. દૂધસાગર ડેરીમાં સાડા છ લાખ પશુપાલકો દૂધ ભરાવે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.