દૂધસાગર ડેરીએ દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:01:38

ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના પશુપાલકોને દૂધસાગર ડેરીએ દિવાળીની ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે. આ નિર્ણયથી પશુપાલકોની દિવાળી સારી જશે. દૂધસાગર ડેરીના આ નિર્ણયથી દૂધ ભરાવતા સાડા છ લાખ પશુપાલકોની દિવાળી સુધરશે. 


દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો 

21 ઓક્ટોબરથી પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવશે. દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટે દૂધસાગર ડેરી ખેડૂતોને હાલ 730 રૂપિયા ચૂકવતી હતી. હવે દસ રૂપિયાનો વધારો થયા બાદ દૂધસાગર ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 740 રૂપિયા ચૂકવશે.  


દૂધસાગર ડેરી વિશે....

આમ તો દૂધસાગર ડેરીનું મૂળ નામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ છે. દૂધસાગર ડેરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો એક વિભાગ છે જે ગુજરાત સરકારના સહકાર મંત્રાલયની માલિકી હેઠળ છે. દૂધસાગર ડેરીમાં સાડા છ લાખ પશુપાલકો દૂધ ભરાવે છે અને પોતાનું ગુજરાત ચલાવે છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .