બાઈપરજોય ચક્રવાતને લઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું જાહેર કરાયું એલર્ટ! જુઓ શું છે વાવાઝોડાને લઈ અપડેટ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:14:13

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જે વાવાઝોડું આવવાની શક્યતા છે તેનું નામ બિપોરજોય પાડવામાં આવ્યું છે 

ગુજરાત પર તોળાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ!

વરસાદનું આગમન દેશમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું અરબ સાગર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડાની વાત કરવામાં આવી છે તેને બાઈપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આ ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. આ ચક્રવાતને લઈ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળી શકે છે.  


વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!

વાવાઝોડાને પગલે 9 અને 10 જૂને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ જઈ રહી છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. 10 જૂન જ્યારે ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે.  12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. સમુદ્રમાં  હળવું દબાણ સર્જાતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.