બાઈપરજોય ચક્રવાતને લઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું જાહેર કરાયું એલર્ટ! જુઓ શું છે વાવાઝોડાને લઈ અપડેટ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:14:13

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જે વાવાઝોડું આવવાની શક્યતા છે તેનું નામ બિપોરજોય પાડવામાં આવ્યું છે 

ગુજરાત પર તોળાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ!

વરસાદનું આગમન દેશમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું અરબ સાગર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડાની વાત કરવામાં આવી છે તેને બાઈપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આ ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. આ ચક્રવાતને લઈ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળી શકે છે.  


વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!

વાવાઝોડાને પગલે 9 અને 10 જૂને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ જઈ રહી છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. 10 જૂન જ્યારે ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે.  12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. સમુદ્રમાં  હળવું દબાણ સર્જાતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.