બાઈપરજોય ચક્રવાતને લઈ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું જાહેર કરાયું એલર્ટ! જુઓ શું છે વાવાઝોડાને લઈ અપડેટ?


  • Published By :
  • Published Date : 2023-06-06 17:14:13

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું સક્રિય થયું છે જેને લઈ તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં જે વાવાઝોડું આવવાની શક્યતા છે તેનું નામ બિપોરજોય પાડવામાં આવ્યું છે 

ગુજરાત પર તોળાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ!

વરસાદનું આગમન દેશમાં ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસું અરબ સાગર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. જે વાવાઝોડાની વાત કરવામાં આવી છે તેને બાઈપરજોય નામ આપવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા આ ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે. આ ચક્રવાતને લઈ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અસર જોવા મળી શકે છે.  


વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી!

વાવાઝોડાને પગલે 9 અને 10 જૂને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ જઈ રહી છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. 10 જૂન જ્યારે ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થશે.  12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.  ગુજરાતનાં દરિયા કિનારાનાં ગામોને થોડી અસર થવાની સંભાવનાં છે. જેમાં ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. 12 જૂનનાં રોજ પાકિસ્તાનમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. સમુદ્રમાં  હળવું દબાણ સર્જાતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.