ભારે વરસાદને કારણે Gujaratની અનેક નદીઓ ગાંડીતૂર બની! કડાણા ડેમમાં પાણી આવતા મહી નદીમાં છોડાયું આટલા ક્યુસેક પાણી


  • Published By :
  • Published Date : 2023-09-18 12:40:01

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીની આવક થતાં જળસપાટી મહત્તમ લેવલ પર પહોંચી છે પરંતુ ગુજરાતના અનેક એવા ડેમો છે જ્યાં પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવક થતા ડેમનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક જેટલું પાણી સતત મહીનદીમાં છોડવામાં આવ્યું છે.


 મહીસાગર: આણંદમાં મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. મહીસાગર નદીકાંઠાના 22 ગામોને એલર્ટ અપાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા મહી ગાંડીતૂર બની છે. આંકલાવનું બામણગામ, ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. અનેક લોકો ફસાતા SDRFની ટીમો તૈનાત કરાઈ છે. SDRFની ટીમે 24 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેટલાય ગામોમાં ગાય-ભેંસ-બકરાં સહિત પશુ તણાયા છે. અધિકારીઓ ફરજ પર સતર્ક રહેવા સુચના અપાઈ છે.

સરદાર સરોવર ડેમ બાદ કડાણા ડેમ પાણીથી છલોછલ!

આપણે ત્યાં કહેવાય છે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિના દરમિયાન સારો વરસાદ જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે પણ ભાદરવા મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરના વધામણા અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીનો જથ્થો આવ્યો છે. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  

 મહીસાગરમાં પાણી છોડાતા આણંદમાં મહી નદી બે કાંઠે વહી રહી છે. ગંભીરા ગામના નીચાણવાળા વિસ્તારમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. આંકલાવ તાલુકાનું ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોનાં જીવ તાડવે ચોંટ્યા છે. ગામમાં અચાનક પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મોડી રાત્રે 17 લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નદીમાં પાણી આવતા તંત્ર બન્યું એલર્ટ! 

કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પહોંટી છે. 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીની આવક થતાં તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું છે. પોલીસની મદદથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી