ભારે વરસાદને કારણે Gujaratની અનેક નદીઓ ગાંડીતૂર બની! કડાણા ડેમમાં પાણી આવતા મહી નદીમાં છોડાયું આટલા ક્યુસેક પાણી


  • Published By :
  • Published Date : 2023-09-18 12:40:01

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીની આવક થતાં જળસપાટી મહત્તમ લેવલ પર પહોંચી છે પરંતુ ગુજરાતના અનેક એવા ડેમો છે જ્યાં પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવક થતા ડેમનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક જેટલું પાણી સતત મહીનદીમાં છોડવામાં આવ્યું છે.


 મહીસાગર: આણંદમાં મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. મહીસાગર નદીકાંઠાના 22 ગામોને એલર્ટ અપાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા મહી ગાંડીતૂર બની છે. આંકલાવનું બામણગામ, ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. અનેક લોકો ફસાતા SDRFની ટીમો તૈનાત કરાઈ છે. SDRFની ટીમે 24 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેટલાય ગામોમાં ગાય-ભેંસ-બકરાં સહિત પશુ તણાયા છે. અધિકારીઓ ફરજ પર સતર્ક રહેવા સુચના અપાઈ છે.

સરદાર સરોવર ડેમ બાદ કડાણા ડેમ પાણીથી છલોછલ!

આપણે ત્યાં કહેવાય છે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિના દરમિયાન સારો વરસાદ જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે પણ ભાદરવા મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરના વધામણા અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીનો જથ્થો આવ્યો છે. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  

 મહીસાગરમાં પાણી છોડાતા આણંદમાં મહી નદી બે કાંઠે વહી રહી છે. ગંભીરા ગામના નીચાણવાળા વિસ્તારમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. આંકલાવ તાલુકાનું ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોનાં જીવ તાડવે ચોંટ્યા છે. ગામમાં અચાનક પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મોડી રાત્રે 17 લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નદીમાં પાણી આવતા તંત્ર બન્યું એલર્ટ! 

કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પહોંટી છે. 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીની આવક થતાં તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું છે. પોલીસની મદદથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.