વધતી ઠંડીને કારણે વધ્યા તાવ, શરદી-ઉધરસના કેસ, અમદાવાદમાં નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-01-19 12:23:57

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ત્યારે કડકડતી ઠંડીની અસર લોકોના શરીર પર પડતી નજરે પડી રહી છે. અમદાવાદમાં શરદી અને તાવના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક આંકડા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ઉધરસ અને તાવના 2300 કેસ સામે આવ્યા છે. આટલા બધા કેસ નોંધાવાને કારણે ઓપીડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


વધી રહ્યા છે તાવ અને શરદી-ઉધરસના કેસ 

અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકો ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. ઠંડી વધવાને કારણે લોકોના શરીર પર ઠંડીની ખરાબ અસર પડી રહી છે. તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એક જ દિવસમાં શરદી ઉધરસ તાવના 2300 જેટલા કેસ નોંધાયા છે. તાવના 700 કેસ સામે આવ્યા છે જ્યારે શરદી ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા છે. સતત વધતી ઠંડીને કારણે લોકો તાવ શરદીના દર્દી થઈ રહ્યા છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે દર્દીઓનો આંકડો 

તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તરભારતથી આવતા ઠંડી હવા તેમજ શીતલહેરને કારણે અનેક લોકો તાવ શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડી વધી રહી છે જેને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એક જ દિવસમાં 2300 કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો આ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.     

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.