વધતી ઠંડીને કારણે વધ્યા તાવ, શરદી-ઉધરસના કેસ, અમદાવાદમાં નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-01-19 12:23:57

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ત્યારે કડકડતી ઠંડીની અસર લોકોના શરીર પર પડતી નજરે પડી રહી છે. અમદાવાદમાં શરદી અને તાવના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક આંકડા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ઉધરસ અને તાવના 2300 કેસ સામે આવ્યા છે. આટલા બધા કેસ નોંધાવાને કારણે ઓપીડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


વધી રહ્યા છે તાવ અને શરદી-ઉધરસના કેસ 

અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકો ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. ઠંડી વધવાને કારણે લોકોના શરીર પર ઠંડીની ખરાબ અસર પડી રહી છે. તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એક જ દિવસમાં શરદી ઉધરસ તાવના 2300 જેટલા કેસ નોંધાયા છે. તાવના 700 કેસ સામે આવ્યા છે જ્યારે શરદી ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા છે. સતત વધતી ઠંડીને કારણે લોકો તાવ શરદીના દર્દી થઈ રહ્યા છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે દર્દીઓનો આંકડો 

તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તરભારતથી આવતા ઠંડી હવા તેમજ શીતલહેરને કારણે અનેક લોકો તાવ શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડી વધી રહી છે જેને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એક જ દિવસમાં 2300 કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો આ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.     

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.