વધતી ઠંડીને કારણે વધ્યા તાવ, શરદી-ઉધરસના કેસ, અમદાવાદમાં નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-01-19 12:23:57

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ત્યારે કડકડતી ઠંડીની અસર લોકોના શરીર પર પડતી નજરે પડી રહી છે. અમદાવાદમાં શરદી અને તાવના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક આંકડા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ઉધરસ અને તાવના 2300 કેસ સામે આવ્યા છે. આટલા બધા કેસ નોંધાવાને કારણે ઓપીડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


વધી રહ્યા છે તાવ અને શરદી-ઉધરસના કેસ 

અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકો ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. ઠંડી વધવાને કારણે લોકોના શરીર પર ઠંડીની ખરાબ અસર પડી રહી છે. તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એક જ દિવસમાં શરદી ઉધરસ તાવના 2300 જેટલા કેસ નોંધાયા છે. તાવના 700 કેસ સામે આવ્યા છે જ્યારે શરદી ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા છે. સતત વધતી ઠંડીને કારણે લોકો તાવ શરદીના દર્દી થઈ રહ્યા છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે દર્દીઓનો આંકડો 

તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તરભારતથી આવતા ઠંડી હવા તેમજ શીતલહેરને કારણે અનેક લોકો તાવ શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડી વધી રહી છે જેને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એક જ દિવસમાં 2300 કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો આ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.     

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.