વધતી ઠંડીને કારણે વધ્યા તાવ, શરદી-ઉધરસના કેસ, અમદાવાદમાં નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-01-19 12:23:57

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ત્યારે કડકડતી ઠંડીની અસર લોકોના શરીર પર પડતી નજરે પડી રહી છે. અમદાવાદમાં શરદી અને તાવના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક આંકડા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ઉધરસ અને તાવના 2300 કેસ સામે આવ્યા છે. આટલા બધા કેસ નોંધાવાને કારણે ઓપીડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


વધી રહ્યા છે તાવ અને શરદી-ઉધરસના કેસ 

અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકો ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. ઠંડી વધવાને કારણે લોકોના શરીર પર ઠંડીની ખરાબ અસર પડી રહી છે. તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એક જ દિવસમાં શરદી ઉધરસ તાવના 2300 જેટલા કેસ નોંધાયા છે. તાવના 700 કેસ સામે આવ્યા છે જ્યારે શરદી ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા છે. સતત વધતી ઠંડીને કારણે લોકો તાવ શરદીના દર્દી થઈ રહ્યા છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે દર્દીઓનો આંકડો 

તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તરભારતથી આવતા ઠંડી હવા તેમજ શીતલહેરને કારણે અનેક લોકો તાવ શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડી વધી રહી છે જેને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એક જ દિવસમાં 2300 કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો આ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.     

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.