કેમ ડોનાલ્ડ ટ્રમ્પએ G7 બેઠક વચ્ચેથી છોડીને જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-17 17:32:36

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો .  સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.  

મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં પોતાની G 7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે . ઈરાન / ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , "ઈરાનને મેં ડીલ સાઈન કરવાનું કહ્યું હતું તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઇતા હતા . આ ખુબ જ શરમજનક છે. માનવીય જીવન પર જોખમ છે. ખાલી એટલુંજ કહેવામાં આવ્યું હતું કે , ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ. મેં આ ઘણીવાર ફરી ફરીને કહ્યું છે. બધા એ હવે તેહરાન તરત જ ખાલી કરવું જોઈએ. "  ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે પેહલા દિવસે ઈઝરાઈલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે , આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને , યુરેનિયમ એનરિચમેન્ટ રોકવા માટે  . પરંતુ ખાલી ટાઈમ પાસ થયો. કોઈ પણ ડીલ થઈ જ ના શકી . 

G7 leaders call for 'de-escalation' in Middle East as Trump leaves summit  early | CBC News

G ૭ માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જયારે નીકળ્યા , ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ટ્રમ્પના જવા પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને આશાવાદ વ્યક્ત કર્યો છેઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ પર ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી . આ પછી ઇઝરાયેલની રાજધાની તેલઅવીવમાં પર સાઇરન સાંભળવા મળ્યા હતા . ઈરાને દાવો કર્યો છે કે , કુલ ૨૨૪ લોકો માર્યા ગયા છે , તેમાં મોટાભાગના નાગરિકો માર્યા ગયા છે. જયારે ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૨૪ છે. પરંતુ ઇઝરાયેલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે. તો આ તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , " જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે , યુદ્ધને રોકાવવા માંગે છે તો ઇઝરાયેલએ તેનું અગ્રેશન અટકાવવું પડશે. તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી રોકવી પડશે." વાત કરીએ ભારતની તો , ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા , સાવચેતીના પગલે , તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સાથેજ તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાનમાં ૨૪/૭ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે . 





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.