કેમ ડોનાલ્ડ ટ્રમ્પએ G7 બેઠક વચ્ચેથી છોડીને જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-17 17:32:36

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો .  સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.  

મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં પોતાની G 7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે . ઈરાન / ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , "ઈરાનને મેં ડીલ સાઈન કરવાનું કહ્યું હતું તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઇતા હતા . આ ખુબ જ શરમજનક છે. માનવીય જીવન પર જોખમ છે. ખાલી એટલુંજ કહેવામાં આવ્યું હતું કે , ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ. મેં આ ઘણીવાર ફરી ફરીને કહ્યું છે. બધા એ હવે તેહરાન તરત જ ખાલી કરવું જોઈએ. "  ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે પેહલા દિવસે ઈઝરાઈલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે , આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને , યુરેનિયમ એનરિચમેન્ટ રોકવા માટે  . પરંતુ ખાલી ટાઈમ પાસ થયો. કોઈ પણ ડીલ થઈ જ ના શકી . 

G7 leaders call for 'de-escalation' in Middle East as Trump leaves summit  early | CBC News

G ૭ માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જયારે નીકળ્યા , ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ટ્રમ્પના જવા પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને આશાવાદ વ્યક્ત કર્યો છેઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ પર ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી . આ પછી ઇઝરાયેલની રાજધાની તેલઅવીવમાં પર સાઇરન સાંભળવા મળ્યા હતા . ઈરાને દાવો કર્યો છે કે , કુલ ૨૨૪ લોકો માર્યા ગયા છે , તેમાં મોટાભાગના નાગરિકો માર્યા ગયા છે. જયારે ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૨૪ છે. પરંતુ ઇઝરાયેલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે. તો આ તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , " જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે , યુદ્ધને રોકાવવા માંગે છે તો ઇઝરાયેલએ તેનું અગ્રેશન અટકાવવું પડશે. તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી રોકવી પડશે." વાત કરીએ ભારતની તો , ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા , સાવચેતીના પગલે , તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સાથેજ તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાનમાં ૨૪/૭ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે . 





ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .