કેમ ડોનાલ્ડ ટ્રમ્પએ G7 બેઠક વચ્ચેથી છોડીને જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-17 17:32:36

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો .  સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.  

મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં પોતાની G 7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે . ઈરાન / ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , "ઈરાનને મેં ડીલ સાઈન કરવાનું કહ્યું હતું તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઇતા હતા . આ ખુબ જ શરમજનક છે. માનવીય જીવન પર જોખમ છે. ખાલી એટલુંજ કહેવામાં આવ્યું હતું કે , ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ. મેં આ ઘણીવાર ફરી ફરીને કહ્યું છે. બધા એ હવે તેહરાન તરત જ ખાલી કરવું જોઈએ. "  ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે પેહલા દિવસે ઈઝરાઈલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે , આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને , યુરેનિયમ એનરિચમેન્ટ રોકવા માટે  . પરંતુ ખાલી ટાઈમ પાસ થયો. કોઈ પણ ડીલ થઈ જ ના શકી . 

G7 leaders call for 'de-escalation' in Middle East as Trump leaves summit  early | CBC News

G ૭ માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જયારે નીકળ્યા , ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ટ્રમ્પના જવા પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને આશાવાદ વ્યક્ત કર્યો છેઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ પર ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી . આ પછી ઇઝરાયેલની રાજધાની તેલઅવીવમાં પર સાઇરન સાંભળવા મળ્યા હતા . ઈરાને દાવો કર્યો છે કે , કુલ ૨૨૪ લોકો માર્યા ગયા છે , તેમાં મોટાભાગના નાગરિકો માર્યા ગયા છે. જયારે ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૨૪ છે. પરંતુ ઇઝરાયેલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે. તો આ તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , " જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે , યુદ્ધને રોકાવવા માંગે છે તો ઇઝરાયેલએ તેનું અગ્રેશન અટકાવવું પડશે. તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી રોકવી પડશે." વાત કરીએ ભારતની તો , ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા , સાવચેતીના પગલે , તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સાથેજ તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાનમાં ૨૪/૭ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે . 





અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.