કેમ ડોનાલ્ડ ટ્રમ્પએ G7 બેઠક વચ્ચેથી છોડીને જવું પડ્યું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-17 17:32:36

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો .  સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.  

મધ્ય એશિયામાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ જોરદાર રીતે વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં પોતાની G 7 બેઠક વચ્ચે છોડીને અમેરિકા પરત ફર્યા છે . ઈરાન / ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને લઇને ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , "ઈરાનને મેં ડીલ સાઈન કરવાનું કહ્યું હતું તેની પર તેણે હસ્તાક્ષર કરવા જોઇતા હતા . આ ખુબ જ શરમજનક છે. માનવીય જીવન પર જોખમ છે. ખાલી એટલુંજ કહેવામાં આવ્યું હતું કે , ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોવા જોઈએ. મેં આ ઘણીવાર ફરી ફરીને કહ્યું છે. બધા એ હવે તેહરાન તરત જ ખાલી કરવું જોઈએ. "  ડોનાલ્ડ ટ્રમ્પએ જયારે પેહલા દિવસે ઈઝરાઈલે ઈરાન પર સ્ટ્રાઇક કરી ત્યારે , આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રયુટર્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , અમેરિકાએ ઈરાનને ૬૦ દિવસ આપ્યા હતા પરમાણુ કરારો કરવા અને , યુરેનિયમ એનરિચમેન્ટ રોકવા માટે  . પરંતુ ખાલી ટાઈમ પાસ થયો. કોઈ પણ ડીલ થઈ જ ના શકી . 

G7 leaders call for 'de-escalation' in Middle East as Trump leaves summit  early | CBC News

G ૭ માંથી ડોનાલ્ડ ટ્રમ્પ જયારે નીકળ્યા , ત્યારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેકરોને ટ્રમ્પના જવા પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઇને આશાવાદ વ્યક્ત કર્યો છેઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર હુમલાઓ સતત ચાલુ છે. મંગળવારે વહેલી સવારના રોજ પર ઈરાનમાં ધડાકાઓ સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઇ ગઈ હતી . આ પછી ઇઝરાયેલની રાજધાની તેલઅવીવમાં પર સાઇરન સાંભળવા મળ્યા હતા . ઈરાને દાવો કર્યો છે કે , કુલ ૨૨૪ લોકો માર્યા ગયા છે , તેમાં મોટાભાગના નાગરિકો માર્યા ગયા છે. જયારે ઇઝરાયેલમાં મૃત્યુનો આંક ૨૪ છે. પરંતુ ઇઝરાયેલમાં હજારો લોકોએ પોતાના ઘરો ખાલી કરવા પડ્યા છે. તો આ તરફ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , " જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ડિપ્લોમસીને લઈને જેન્યુન છે , યુદ્ધને રોકાવવા માંગે છે તો ઇઝરાયેલએ તેનું અગ્રેશન અટકાવવું પડશે. તેણે સૌપ્રથમ અમારા વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી રોકવી પડશે." વાત કરીએ ભારતની તો , ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલી ભારતીય એમ્બેસી દ્વારા , સાવચેતીના પગલે , તેહરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. સાથેજ તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ભારતના વિદેશ સચિવ રણધીર જયસ્વાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ અને ઈરાનમાં ૨૪/૭ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેનાથી ત્યાં રહેલા ભારતીયોને સપોર્ટ મળી શકે . 





ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.