બિપોરજોય વાવાઝોડાને પગલે અનેક સેવાઓને હાલ માટે કરાઈ બંધ! જાણો અમદાવાદનું કયું સ્થળ મુલાકાતીઓ માટે કરાયું બંધ?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:58:44

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઓ તોફાની બન્યા છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડાને ધ્યાનમાં રાખી 15 જૂન સાંજથી 48 કલાક માટે રિવરફ્રન્ટ બંધ રહેશે. તે સિવાય રિવરફ્રન્ટમાં ચાલતી બોટ સેવાઓ પણ બંધ રહેશે. વાવાઝોડાને પગલે ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી પર પ્રતિબંધ હાલ માટે મૂકી દેવામાં આવ્યો છે. 



કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે થઈ શકે છે અસર!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત બંદરો પર ભયાવહ સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે  પવન ફૂંકાઈ રહ્યો છે. 


વાવાઝોડાને કારણે અનેક સેવાઓ પર મુકાયો પ્રતિબંધ!

વાવાઝોડાની ગંભીરતાને જોતા હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાને પગલે અનેક સુવિધાઓ જેવી કે ગીરનાર તેમજ અંબાજીમાં ચાલતી રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય 15 જૂન સુધી રોરો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક બંદરો પણ બિપોરજોયને પગલે બંધ કરી દેવાયા છે. તે સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક બસ તેમજ ટ્રેન સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટને પણ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તેમજ આર્મી જવાનની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે આગામી 36 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે. 

 

  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.