બિપોરજોય વાવાઝોડાને પગલે અનેક સેવાઓને હાલ માટે કરાઈ બંધ! જાણો અમદાવાદનું કયું સ્થળ મુલાકાતીઓ માટે કરાયું બંધ?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:58:44

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઓ તોફાની બન્યા છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડાને ધ્યાનમાં રાખી 15 જૂન સાંજથી 48 કલાક માટે રિવરફ્રન્ટ બંધ રહેશે. તે સિવાય રિવરફ્રન્ટમાં ચાલતી બોટ સેવાઓ પણ બંધ રહેશે. વાવાઝોડાને પગલે ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી પર પ્રતિબંધ હાલ માટે મૂકી દેવામાં આવ્યો છે. 



કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે થઈ શકે છે અસર!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત બંદરો પર ભયાવહ સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે  પવન ફૂંકાઈ રહ્યો છે. 


વાવાઝોડાને કારણે અનેક સેવાઓ પર મુકાયો પ્રતિબંધ!

વાવાઝોડાની ગંભીરતાને જોતા હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાને પગલે અનેક સુવિધાઓ જેવી કે ગીરનાર તેમજ અંબાજીમાં ચાલતી રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય 15 જૂન સુધી રોરો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક બંદરો પણ બિપોરજોયને પગલે બંધ કરી દેવાયા છે. તે સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક બસ તેમજ ટ્રેન સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટને પણ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તેમજ આર્મી જવાનની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે આગામી 36 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે. 

 

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.