બિપોરજોય વાવાઝોડાને પગલે અનેક સેવાઓને હાલ માટે કરાઈ બંધ! જાણો અમદાવાદનું કયું સ્થળ મુલાકાતીઓ માટે કરાયું બંધ?


  • Published By :
  • Published Date : 2023-06-14 09:58:44

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઓ તોફાની બન્યા છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી અમદાવાદ રિવરફ્રન્ટને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડાને ધ્યાનમાં રાખી 15 જૂન સાંજથી 48 કલાક માટે રિવરફ્રન્ટ બંધ રહેશે. તે સિવાય રિવરફ્રન્ટમાં ચાલતી બોટ સેવાઓ પણ બંધ રહેશે. વાવાઝોડાને પગલે ફ્લોટિંગ બોટ, વોટર સાયકલ સહિતની એક્ટિવિટી પર પ્રતિબંધ હાલ માટે મૂકી દેવામાં આવ્યો છે. 



કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે થઈ શકે છે અસર!

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકિનારા પર લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત બંદરો પર ભયાવહ સિગ્નલો લગાવવામાં આવ્યા છે અને એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે  પવન ફૂંકાઈ રહ્યો છે. 


વાવાઝોડાને કારણે અનેક સેવાઓ પર મુકાયો પ્રતિબંધ!

વાવાઝોડાની ગંભીરતાને જોતા હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડાને પગલે અનેક સુવિધાઓ જેવી કે ગીરનાર તેમજ અંબાજીમાં ચાલતી રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. તે સિવાય 15 જૂન સુધી રોરો ફેરી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. અનેક બંદરો પણ બિપોરજોયને પગલે બંધ કરી દેવાયા છે. તે સિવાય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક બસ તેમજ ટ્રેન સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટને પણ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે. રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમ તેમજ આર્મી જવાનની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માટે આગામી 36 કલાક ભારે માનવામાં આવી રહ્યા છે. 

 

  



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?