પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ પર કર્યો મોટો હુમલો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-05 16:15:32

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. 

Government seeks transfer of cases challenging IT rules to Supreme Court,  ETGovernment

 સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૈન્ય પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે , "એક સાચા ભારતીય એવું નિવેદન ન આપી શકે." તો હવે સુપ્રીમ કોર્ટના આ નિવેદનને લઇને કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે કોણ નથી , તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી . કોઈ પણ જજ આ વસ્તુ નક્કી ના કરી શકે. રાહુલ ગાંધીએ હંમેશાથી સેનાનું સન્માન કર્યું છે. તેમના દિલમાં સેનાના અધિકારીઓ પ્રત્યે સંપૂર્ણરીતે આદર છે . વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. રાહુલ ગાંધીના ભાષણમાં સેના પ્રત્યે આદર સ્પષ્ટ રીતે દેખાય છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમનું કર્તવ્ય છે કે સરકારને સવાલ પૂછવા. સરકારને પસંદ નથી માટે આ વસ્તુઓ કરાવવામાં આવે છે. કેટલાય દિવસોથી સાંસદ નથી ચાલી રહી સરકારે વાત કરવી જોઇએ. શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે સદન જ નથી ચાલી રહ્યું. " 

Face-Off In Lok Sabha As Priyanka Gandhi Vadra Reads Out Pahalgam Victim  Names

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન તેમણે ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી . તેને લઇને તેમની પર માનહાનિનો દાવો થયો હતો . તો હવે રાહુલ ગાંધીએ માનહાનીના દાવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર જસ્ટિસ દિપાંકર દત્તા અને એમજી મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી . તે દરમ્યાન બે જજોની બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ લખનૌ કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર રોક લગાવી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.