પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ પર કર્યો મોટો હુમલો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-05 16:15:32

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. 

Government seeks transfer of cases challenging IT rules to Supreme Court,  ETGovernment

 સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૈન્ય પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે , "એક સાચા ભારતીય એવું નિવેદન ન આપી શકે." તો હવે સુપ્રીમ કોર્ટના આ નિવેદનને લઇને કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે કોણ નથી , તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી . કોઈ પણ જજ આ વસ્તુ નક્કી ના કરી શકે. રાહુલ ગાંધીએ હંમેશાથી સેનાનું સન્માન કર્યું છે. તેમના દિલમાં સેનાના અધિકારીઓ પ્રત્યે સંપૂર્ણરીતે આદર છે . વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. રાહુલ ગાંધીના ભાષણમાં સેના પ્રત્યે આદર સ્પષ્ટ રીતે દેખાય છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમનું કર્તવ્ય છે કે સરકારને સવાલ પૂછવા. સરકારને પસંદ નથી માટે આ વસ્તુઓ કરાવવામાં આવે છે. કેટલાય દિવસોથી સાંસદ નથી ચાલી રહી સરકારે વાત કરવી જોઇએ. શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે સદન જ નથી ચાલી રહ્યું. " 

Face-Off In Lok Sabha As Priyanka Gandhi Vadra Reads Out Pahalgam Victim  Names

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન તેમણે ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી . તેને લઇને તેમની પર માનહાનિનો દાવો થયો હતો . તો હવે રાહુલ ગાંધીએ માનહાનીના દાવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર જસ્ટિસ દિપાંકર દત્તા અને એમજી મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી . તે દરમ્યાન બે જજોની બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ લખનૌ કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર રોક લગાવી છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .