પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ પર કર્યો મોટો હુમલો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-05 16:15:32

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. 

Government seeks transfer of cases challenging IT rules to Supreme Court,  ETGovernment

 સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સૈન્ય પર કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું છે કે , "એક સાચા ભારતીય એવું નિવેદન ન આપી શકે." તો હવે સુપ્રીમ કોર્ટના આ નિવેદનને લઇને કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે કોણ નથી , તે નક્કી કરવાનું કામ ન્યાયપાલિકાનું નથી . કોઈ પણ જજ આ વસ્તુ નક્કી ના કરી શકે. રાહુલ ગાંધીએ હંમેશાથી સેનાનું સન્માન કર્યું છે. તેમના દિલમાં સેનાના અધિકારીઓ પ્રત્યે સંપૂર્ણરીતે આદર છે . વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. રાહુલ ગાંધીના ભાષણમાં સેના પ્રત્યે આદર સ્પષ્ટ રીતે દેખાય છે. વિરોધ પક્ષના નેતા તરીકે તેમનું કર્તવ્ય છે કે સરકારને સવાલ પૂછવા. સરકારને પસંદ નથી માટે આ વસ્તુઓ કરાવવામાં આવે છે. કેટલાય દિવસોથી સાંસદ નથી ચાલી રહી સરકારે વાત કરવી જોઇએ. શું સરકાર એટલી નબળી પડી ગઈ છે કે સદન જ નથી ચાલી રહ્યું. " 

Face-Off In Lok Sabha As Priyanka Gandhi Vadra Reads Out Pahalgam Victim  Names

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. તે દરમ્યાન તેમણે ભારતીય સેના પર ટિપ્પણી કરી હતી . તેને લઇને તેમની પર માનહાનિનો દાવો થયો હતો . તો હવે રાહુલ ગાંધીએ માનહાનીના દાવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની પર જસ્ટિસ દિપાંકર દત્તા અને એમજી મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી . તે દરમ્યાન બે જજોની બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ લખનૌ કોર્ટમાં ચાલતી કાર્યવાહી પર રોક લગાવી છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.