ટામેટાના વધતા ભાવને કારણે ગૃહિણી પરેશાન! ઋષિકેશ પટેલના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું! સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-26 13:47:55

ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 30-40 કિલો રૂપિયે મળતા ટામેટા આજે 200 રુપિયે, તેનાથી પણ વધારે મોંઘા ભાવે કિલોએ ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ પર નિયંત્રણ સરકાર લાવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બધા વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદનને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી - ઋષિકેશ પટેલ 

ચોમાસાની સિઝન નજીક આવતા જ શાકભાજીના અને તેમાં પણ ટામેટાના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. વધતા ભાવ પર નિયંત્રણ આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ ભાવ ન ઘટ્યા. એક તરફ લોકો માગ કરી રહ્યા છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવે તો બીજી તરફ ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે કે ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિતની વસ્તુ જે ગૃહિણીઓ માટે જરૂરી છે તે ડિમાન્ડ સપ્લાય પર આધાર રાથે છે. સમયની સાથે, સપ્લાય વધતા તે કંટ્રોલમાં આવતા હોય છે.  

ટામેટા મોંઘા થતાં થવા લાગી ટામેટાની ચોરી!

મહત્વનું છે કે ટામેટાના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. એક સમયે ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો રડી રહ્યા હતા. અનેક ખેડૂતોએ ટામેટાને ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ સહિત અનેક કારણોસર એકાએક ટામેટાના ભાવમાં વધારો ઝિંકાયો છે. ભાવ વધવાને કારણે અનેક ચોરીની ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. શાકભાજીના વેપારીઓએ પોતાને ત્યાં કેમેરા લગાવી દીધા હતા. અનેક એવા કિસ્સાઓ છે જેમાં ટામેટાની ખેતી કરી ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટમાંથી સેવ ટામેટાનું શાક ગાયબ થઈ ગયું હતું, એક તરફ શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવાર માટે ગુજરાન ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. ત્યારે પ્રવક્તામંત્રીના આવા નિવેદનથી જાણે બળતામાં ઘી  હોમાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.