ટામેટાના વધતા ભાવને કારણે ગૃહિણી પરેશાન! ઋષિકેશ પટેલના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું! સાંભળો નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 13:47:55

ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 30-40 કિલો રૂપિયે મળતા ટામેટા આજે 200 રુપિયે, તેનાથી પણ વધારે મોંઘા ભાવે કિલોએ ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ પર નિયંત્રણ સરકાર લાવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બધા વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદનને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી - ઋષિકેશ પટેલ 

ચોમાસાની સિઝન નજીક આવતા જ શાકભાજીના અને તેમાં પણ ટામેટાના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. વધતા ભાવ પર નિયંત્રણ આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ ભાવ ન ઘટ્યા. એક તરફ લોકો માગ કરી રહ્યા છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવે તો બીજી તરફ ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે કે ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિતની વસ્તુ જે ગૃહિણીઓ માટે જરૂરી છે તે ડિમાન્ડ સપ્લાય પર આધાર રાથે છે. સમયની સાથે, સપ્લાય વધતા તે કંટ્રોલમાં આવતા હોય છે.  

ટામેટા મોંઘા થતાં થવા લાગી ટામેટાની ચોરી!

મહત્વનું છે કે ટામેટાના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. એક સમયે ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો રડી રહ્યા હતા. અનેક ખેડૂતોએ ટામેટાને ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ સહિત અનેક કારણોસર એકાએક ટામેટાના ભાવમાં વધારો ઝિંકાયો છે. ભાવ વધવાને કારણે અનેક ચોરીની ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. શાકભાજીના વેપારીઓએ પોતાને ત્યાં કેમેરા લગાવી દીધા હતા. અનેક એવા કિસ્સાઓ છે જેમાં ટામેટાની ખેતી કરી ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટમાંથી સેવ ટામેટાનું શાક ગાયબ થઈ ગયું હતું, એક તરફ શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવાર માટે ગુજરાન ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. ત્યારે પ્રવક્તામંત્રીના આવા નિવેદનથી જાણે બળતામાં ઘી  હોમાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.   



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે