ટામેટાના વધતા ભાવને કારણે ગૃહિણી પરેશાન! ઋષિકેશ પટેલના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું! સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2023-07-26 13:47:55

ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 30-40 કિલો રૂપિયે મળતા ટામેટા આજે 200 રુપિયે, તેનાથી પણ વધારે મોંઘા ભાવે કિલોએ ટામેટા વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ પર નિયંત્રણ સરકાર લાવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બધા વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલે ટામેટાના ભાવને લઈ નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદનને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી - ઋષિકેશ પટેલ 

ચોમાસાની સિઝન નજીક આવતા જ શાકભાજીના અને તેમાં પણ ટામેટાના ભાવ સાતમે આસમાને પહોંચી ગયા છે. દરેક શાકભાજીના ભાવ વધવાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. વધતા ભાવ પર નિયંત્રણ આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે, પરંતુ ભાવ ન ઘટ્યા. એક તરફ લોકો માગ કરી રહ્યા છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવે તો બીજી તરફ ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું છે કે ટામેટા એક માત્ર ખાવાની વસ્તુ નથી. ટામેટા, બટાકા સહિતની વસ્તુ જે ગૃહિણીઓ માટે જરૂરી છે તે ડિમાન્ડ સપ્લાય પર આધાર રાથે છે. સમયની સાથે, સપ્લાય વધતા તે કંટ્રોલમાં આવતા હોય છે.  

ટામેટા મોંઘા થતાં થવા લાગી ટામેટાની ચોરી!

મહત્વનું છે કે ટામેટાના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. એક સમયે ટામેટાના ભાવ ન મળતા ખેડૂતો રડી રહ્યા હતા. અનેક ખેડૂતોએ ટામેટાને ફેંકી દીધા હતા. પરંતુ ભારે વરસાદ સહિત અનેક કારણોસર એકાએક ટામેટાના ભાવમાં વધારો ઝિંકાયો છે. ભાવ વધવાને કારણે અનેક ચોરીની ઘટનાઓ પણ આપણી સામે આવી હતી. શાકભાજીના વેપારીઓએ પોતાને ત્યાં કેમેરા લગાવી દીધા હતા. અનેક એવા કિસ્સાઓ છે જેમાં ટામેટાની ખેતી કરી ખેડૂતો માલામાલ થઈ ગયા છે. ટામેટાના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટમાંથી સેવ ટામેટાનું શાક ગાયબ થઈ ગયું હતું, એક તરફ શાકભાજી સહિતની વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમવર્ગીય પરિવાર માટે ગુજરાન ચલાવવું અઘરૂં પડી રહ્યું છે. ત્યારે પ્રવક્તામંત્રીના આવા નિવેદનથી જાણે બળતામાં ઘી  હોમાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.