વાવાઝોડાને કારણે આ જગ્યાઓ પર શરૂ થયો ભારે વરસાદ! અનેક ગામોમાં છવાયો અંધારપટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 11:07:43

બિપોરજોયને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસરો ગુજરાત પર દેખાઈ રહી છે. અનેક દરિયાઓ ગાંડાતુર બન્યા છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન તેમજ વરસાદને કારણે નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


અનેક જિલ્લાઓમાં શરૂ થયો વરસાદ!

દ્વારકા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે સિવાય અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી. 


અનેક ગામોમાં છવાયો અંધારપટ!

મહત્વનું છે કે વાવાઝોડું તો આવીને જતું રહેશે પરંતુ તેના દ્વારા મોટા પાયે નુકસાન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક વીજપોલ પણ પડી જવાના સમાચાર સામે આવ્યા છે. વીજળીનો થાંભલો પડી જવાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ભુજ જિલ્લાના 50 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વાવાઝોડાની ગંભીરતનાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.   



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.