વાવાઝોડાને કારણે આ જગ્યાઓ પર શરૂ થયો ભારે વરસાદ! અનેક ગામોમાં છવાયો અંધારપટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-15 11:07:43

બિપોરજોયને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસરો ગુજરાત પર દેખાઈ રહી છે. અનેક દરિયાઓ ગાંડાતુર બન્યા છે. ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પોરબંદર, દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. ભારે પવન તેમજ વરસાદને કારણે નુકસાનીના પણ અનેક દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


અનેક જિલ્લાઓમાં શરૂ થયો વરસાદ!

દ્વારકા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે વરસાદ વરસવાની પણ શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. તે સિવાય અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખી અનેક ટીમોને તૈનાત કરવામાં આવી છે જે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ત્રણેય સેનાના પ્રમુખો સાથે આ મામલે બેઠક કરી હતી. 


અનેક ગામોમાં છવાયો અંધારપટ!

મહત્વનું છે કે વાવાઝોડું તો આવીને જતું રહેશે પરંતુ તેના દ્વારા મોટા પાયે નુકસાન થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અનેક વીજપોલ પણ પડી જવાના સમાચાર સામે આવ્યા છે. વીજળીનો થાંભલો પડી જવાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ભુજ જિલ્લાના 50 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વાવાઝોડાની ગંભીરતનાને ધ્યાનમાં રાખી અનેક મંદિરોને બંધ કરવામાં આવ્યા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.