વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-16 09:37:21

હાલ ઉનાળાની સીઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવનાર દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અમદાવાદ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો નીચે રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ  

વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક જગ્યાઓ પર કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય શનિવાર તેમજ રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ડાંગ , તાપી,પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.  


કાળઝાળ ગરમી સહન કરવા માટે રહેવું પડશે તૈયાર!  

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે જેને કારણે કેરીના ચાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેરી આ વર્ષે મોડી પણ આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.