વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-16 09:37:21

હાલ ઉનાળાની સીઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવનાર દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અમદાવાદ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો નીચે રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ  

વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક જગ્યાઓ પર કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય શનિવાર તેમજ રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ડાંગ , તાપી,પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.  


કાળઝાળ ગરમી સહન કરવા માટે રહેવું પડશે તૈયાર!  

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે જેને કારણે કેરીના ચાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેરી આ વર્ષે મોડી પણ આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.