વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-16 09:37:21

હાલ ઉનાળાની સીઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવનાર દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અમદાવાદ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો નીચે રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ  

વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક જગ્યાઓ પર કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય શનિવાર તેમજ રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ડાંગ , તાપી,પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.  


કાળઝાળ ગરમી સહન કરવા માટે રહેવું પડશે તૈયાર!  

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે જેને કારણે કેરીના ચાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેરી આ વર્ષે મોડી પણ આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.