વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-16 09:37:21

હાલ ઉનાળાની સીઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આવનાર દિવસો માટે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગઈ કાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે પણ અમદાવાદ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે તાપમાનનો પારો નીચે રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ  

વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ થવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અનેક જગ્યાઓ પર કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો કોઈ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય શનિવાર તેમજ રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, ડાંગ , તાપી,પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.  


કાળઝાળ ગરમી સહન કરવા માટે રહેવું પડશે તૈયાર!  

કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે જેને કારણે કેરીના ચાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કેરી આ વર્ષે મોડી પણ આવી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.