ડમી કાંડ મામલે ભાવનગર રેન્જ IGએ કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણો શું કહ્યું ગૌતમ પરમારે


  • Published By :
  • Published Date : 2023-04-22 20:58:38

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાજે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ડમી કાંડ મામલે નવા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. ભાવનગર રેન્જ IGના જણાવ્યા પ્રમાણે યુવરાજ સિંહે પૂછપરછ દરમિયાન ડમી કાંડ મામલે કોઈ નેતાની સામેલગીરી હોવાના પુરાવા કે નામ આપ્યા નથી. તે ઉપરાંત યુવરાજ સિંહે અન્ય કોઈ કાંડના પુરાવા આપ્યા નથી. આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશ



શું કહ્યું ભાવનગર રેન્જ IGએ?


યુવરાજ સિંહને કોર્ટ સમક્ષ હાજર કરાયા


મોબાઈલની રિકવરી અને એક કરોડ લેવાયા તેની રિકવરી માટે રિમાન્ડની માંગણી


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ડમી કાંડના આરોપી ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની અટકાયત કરવામાં આવી.


ઘનશ્યામ લાધવા  અને બિપીન ત્રિવેદીએ પણ નાણા પ્રાપ્ત કર્યા છે


ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ 10 ટકા લેખે જે રુપિયા લીધા હતા તે રિકવાર કરવાનું શરૂ 


નાણાકિય વ્યવહારના કારણે જ ગુનો નોંધાયો


7 નામ આપી 2 નામ છુપાવ્યા તેના કારણે જ પોલીસ ફરિયાદ નોંધાઈ


પ્રકાશ દવે ઉર્ફે પીકેની મેટર પતાવવા 26 માર્ચની રાત્રે બિપીન, ઘનશ્યામ અને અન્યની મીટિંગના સીસીટીવી પુરાવા


6 એપ્રીલે યુવરાજ સિંહે પીકે અને પ્રદિપ બારૈયાનું યુવરાજ સિંહે નામ નહોતું આપ્યું: રેન્જ IG


વિક્ટોરિયા કોમ્પ્લેક્સમાં થઈ હતી મિટીંગ


ડિલીટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા


સીસીટીવી ફૂટેજ,વ્હોટ્સેપ ચેટ અને સીડીઆર એનાલિસીસની વિગત પોલીસ જાહેર કરશે


નારી ચોકડી પર મિટીંગ થયાની યુવરાજ સિંહે કરી છે કબૂલાત


સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે


શિવુભાની શોધખોળ ચાલી રહી છે


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ફરિયાદમાં નોંધાયેલ રાજુ નામની વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે


રાજુ અને આર કે બે અલગ વ્યક્તિ છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.