ડમી કાંડ મામલે ભાવનગર રેન્જ IGએ કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણો શું કહ્યું ગૌતમ પરમારે


  • Published By :
  • Published Date : 2023-04-22 20:58:38

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાજે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ડમી કાંડ મામલે નવા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. ભાવનગર રેન્જ IGના જણાવ્યા પ્રમાણે યુવરાજ સિંહે પૂછપરછ દરમિયાન ડમી કાંડ મામલે કોઈ નેતાની સામેલગીરી હોવાના પુરાવા કે નામ આપ્યા નથી. તે ઉપરાંત યુવરાજ સિંહે અન્ય કોઈ કાંડના પુરાવા આપ્યા નથી. આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશ



શું કહ્યું ભાવનગર રેન્જ IGએ?


યુવરાજ સિંહને કોર્ટ સમક્ષ હાજર કરાયા


મોબાઈલની રિકવરી અને એક કરોડ લેવાયા તેની રિકવરી માટે રિમાન્ડની માંગણી


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ડમી કાંડના આરોપી ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની અટકાયત કરવામાં આવી.


ઘનશ્યામ લાધવા  અને બિપીન ત્રિવેદીએ પણ નાણા પ્રાપ્ત કર્યા છે


ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ 10 ટકા લેખે જે રુપિયા લીધા હતા તે રિકવાર કરવાનું શરૂ 


નાણાકિય વ્યવહારના કારણે જ ગુનો નોંધાયો


7 નામ આપી 2 નામ છુપાવ્યા તેના કારણે જ પોલીસ ફરિયાદ નોંધાઈ


પ્રકાશ દવે ઉર્ફે પીકેની મેટર પતાવવા 26 માર્ચની રાત્રે બિપીન, ઘનશ્યામ અને અન્યની મીટિંગના સીસીટીવી પુરાવા


6 એપ્રીલે યુવરાજ સિંહે પીકે અને પ્રદિપ બારૈયાનું યુવરાજ સિંહે નામ નહોતું આપ્યું: રેન્જ IG


વિક્ટોરિયા કોમ્પ્લેક્સમાં થઈ હતી મિટીંગ


ડિલીટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા


સીસીટીવી ફૂટેજ,વ્હોટ્સેપ ચેટ અને સીડીઆર એનાલિસીસની વિગત પોલીસ જાહેર કરશે


નારી ચોકડી પર મિટીંગ થયાની યુવરાજ સિંહે કરી છે કબૂલાત


સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે


શિવુભાની શોધખોળ ચાલી રહી છે


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ફરિયાદમાં નોંધાયેલ રાજુ નામની વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે


રાજુ અને આર કે બે અલગ વ્યક્તિ છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.