ડમી કાંડ મામલે ભાવનગર રેન્જ IGએ કર્યા ચોંકાવનારા ખુલાસા, જાણો શું કહ્યું ગૌતમ પરમારે


  • Published By :
  • Published Date : 2023-04-22 20:58:38

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આજે સાજે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને ડમી કાંડ મામલે નવા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. ભાવનગર રેન્જ IGના જણાવ્યા પ્રમાણે યુવરાજ સિંહે પૂછપરછ દરમિયાન ડમી કાંડ મામલે કોઈ નેતાની સામેલગીરી હોવાના પુરાવા કે નામ આપ્યા નથી. તે ઉપરાંત યુવરાજ સિંહે અન્ય કોઈ કાંડના પુરાવા આપ્યા નથી. આવો જાણીએ આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશ



શું કહ્યું ભાવનગર રેન્જ IGએ?


યુવરાજ સિંહને કોર્ટ સમક્ષ હાજર કરાયા


મોબાઈલની રિકવરી અને એક કરોડ લેવાયા તેની રિકવરી માટે રિમાન્ડની માંગણી


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ડમી કાંડના આરોપી ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની અટકાયત કરવામાં આવી.


ઘનશ્યામ લાધવા  અને બિપીન ત્રિવેદીએ પણ નાણા પ્રાપ્ત કર્યા છે


ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીએ 10 ટકા લેખે જે રુપિયા લીધા હતા તે રિકવાર કરવાનું શરૂ 


નાણાકિય વ્યવહારના કારણે જ ગુનો નોંધાયો


7 નામ આપી 2 નામ છુપાવ્યા તેના કારણે જ પોલીસ ફરિયાદ નોંધાઈ


પ્રકાશ દવે ઉર્ફે પીકેની મેટર પતાવવા 26 માર્ચની રાત્રે બિપીન, ઘનશ્યામ અને અન્યની મીટિંગના સીસીટીવી પુરાવા


6 એપ્રીલે યુવરાજ સિંહે પીકે અને પ્રદિપ બારૈયાનું યુવરાજ સિંહે નામ નહોતું આપ્યું: રેન્જ IG


વિક્ટોરિયા કોમ્પ્લેક્સમાં થઈ હતી મિટીંગ


ડિલીટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા


સીસીટીવી ફૂટેજ,વ્હોટ્સેપ ચેટ અને સીડીઆર એનાલિસીસની વિગત પોલીસ જાહેર કરશે


નારી ચોકડી પર મિટીંગ થયાની યુવરાજ સિંહે કરી છે કબૂલાત


સુરતથી કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે


શિવુભાની શોધખોળ ચાલી રહી છે


યુવરાજ સિંહ સામે નવા કાયદા પ્રમાણે લાગુ પડતી કલમોનો અમલ કરાશે


ફરિયાદમાં નોંધાયેલ રાજુ નામની વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે


રાજુ અને આર કે બે અલગ વ્યક્તિ છે



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.