ડમીકાંડ - તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવભાએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર! આ સમગ્ર મામલે શિવભાએ આપ્યું નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-25 11:52:07

ડમીકાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એસઓજી સમક્ષ જ્યારે યુવરાજસિંહ હાજર થયા હતા તે બાદ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ પૈસા લેવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ રુપિયા રિકવર કરી લીધા હતા. ત્યારે યુવરાજસિંહના બીજા સાળાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. શિવભાએ આ સમગ્ર વાતને રાજકીય કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાવતરૂં છે. પૈસાની કોઈ લેતી દેતી થઈ નથી.


પોલીસ સમક્ષ હાજર થયા યુવરાજસિંહના સાળા શિવભા! 

ડમીકાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો અને જે બાદ નવા નવા વળાંક આવી રહ્યા છે. ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા. જે બાદ ખંડણીનો ગુન્હો યુવરાજસિંહ સહિત 6 લોકો પર દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના બે સાળાઓના નામ પણ સામેલ હતા. ત્યારે સુરતથી પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાને ઝડપી પાડ્યો હતો. જે બાદ ગઈકાલે પોલીસે કાનભા પાસેથી 38 લાખ રિક્વર કરી લીધા છે. ત્યારે યુવાજસિંહના બીજા સાળા શિવભાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે.          




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે