ડમીકાંડ - તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવભાએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર! આ સમગ્ર મામલે શિવભાએ આપ્યું નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-25 11:52:07

ડમીકાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એસઓજી સમક્ષ જ્યારે યુવરાજસિંહ હાજર થયા હતા તે બાદ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ પૈસા લેવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ રુપિયા રિકવર કરી લીધા હતા. ત્યારે યુવરાજસિંહના બીજા સાળાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. શિવભાએ આ સમગ્ર વાતને રાજકીય કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાવતરૂં છે. પૈસાની કોઈ લેતી દેતી થઈ નથી.


પોલીસ સમક્ષ હાજર થયા યુવરાજસિંહના સાળા શિવભા! 

ડમીકાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો અને જે બાદ નવા નવા વળાંક આવી રહ્યા છે. ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા. જે બાદ ખંડણીનો ગુન્હો યુવરાજસિંહ સહિત 6 લોકો પર દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના બે સાળાઓના નામ પણ સામેલ હતા. ત્યારે સુરતથી પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાને ઝડપી પાડ્યો હતો. જે બાદ ગઈકાલે પોલીસે કાનભા પાસેથી 38 લાખ રિક્વર કરી લીધા છે. ત્યારે યુવાજસિંહના બીજા સાળા શિવભાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે.          




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે