ડમીકાંડ - તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવભાએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર! આ સમગ્ર મામલે શિવભાએ આપ્યું નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-25 11:52:07

ડમીકાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એસઓજી સમક્ષ જ્યારે યુવરાજસિંહ હાજર થયા હતા તે બાદ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ પૈસા લેવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ રુપિયા રિકવર કરી લીધા હતા. ત્યારે યુવરાજસિંહના બીજા સાળાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. શિવભાએ આ સમગ્ર વાતને રાજકીય કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાવતરૂં છે. પૈસાની કોઈ લેતી દેતી થઈ નથી.


પોલીસ સમક્ષ હાજર થયા યુવરાજસિંહના સાળા શિવભા! 

ડમીકાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો અને જે બાદ નવા નવા વળાંક આવી રહ્યા છે. ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા. જે બાદ ખંડણીનો ગુન્હો યુવરાજસિંહ સહિત 6 લોકો પર દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના બે સાળાઓના નામ પણ સામેલ હતા. ત્યારે સુરતથી પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાને ઝડપી પાડ્યો હતો. જે બાદ ગઈકાલે પોલીસે કાનભા પાસેથી 38 લાખ રિક્વર કરી લીધા છે. ત્યારે યુવાજસિંહના બીજા સાળા શિવભાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે.          




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.