ડમીકાંડ - તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવભાએ પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર! આ સમગ્ર મામલે શિવભાએ આપ્યું નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-25 11:52:07

ડમીકાંડ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એસઓજી સમક્ષ જ્યારે યુવરાજસિંહ હાજર થયા હતા તે બાદ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ પૈસા લેવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે 38 લાખ રુપિયા રિકવર કરી લીધા હતા. ત્યારે યુવરાજસિંહના બીજા સાળાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. શિવભાએ આ સમગ્ર વાતને રાજકીય કાવતરૂં ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાવતરૂં છે. પૈસાની કોઈ લેતી દેતી થઈ નથી.


પોલીસ સમક્ષ હાજર થયા યુવરાજસિંહના સાળા શિવભા! 

ડમીકાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો અને જે બાદ નવા નવા વળાંક આવી રહ્યા છે. ભાવનગર એસઓજી સમક્ષ યુવરાજસિંહ હાજર થયા હતા. જે બાદ ખંડણીનો ગુન્હો યુવરાજસિંહ સહિત 6 લોકો પર દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના બે સાળાઓના નામ પણ સામેલ હતા. ત્યારે સુરતથી પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાને ઝડપી પાડ્યો હતો. જે બાદ ગઈકાલે પોલીસે કાનભા પાસેથી 38 લાખ રિક્વર કરી લીધા છે. ત્યારે યુવાજસિંહના બીજા સાળા શિવભાએ સામે ચાલીને પોલીસ સમક્ષ સરેન્ડર કરી લીધું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે કહ્યું કે આ રાજકીય ષડયંત્ર છે.          




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.