અમદાવાદીઓ ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડ્યા, 10થી 12 લાખ કિલો ફાફડાના વેચાણનું અનુમાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:05:44


આજે પવિત્ર દશેરાનો દિવસ છે, આ વિજયાદશમીનો તહેવાર આમ તો અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવે છે. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક વર્ષો જૂની અને અનોખી પરંપરા રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદીઓએ ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ફરસાણની દુકાનો સામે લોકોની કતારો જોવા મળી રહી છે.


ફાફડા-જલેબીના ભાવ આસમાને


આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જલેબી-ફાફડાનું ધૂમ વેચાણ થયું. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આજે પણ લોકો પોત-પોતાના મનપંસદ સ્થળે જલેબી-ફાફડા લેવા પહોંચ્યા. લોકો એ ચટણી સાથે ફાફડાની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડાનો ભાવ રૂ. 650થી 900 પ્રતિ કિલો અને જલેબીનો ભાવ રૂ. 750થી 1050 છે. જો કે આટલા ભાવ છતાં પણ લોકો તે ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. 


આજે અમદાવાદમાં 10થી 12 લાખ કિલો ફાફડાનું થશે વેચાણ


અમદાવાદીઓ કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણી હર્ષોલ્લાસભેર કરતા માટે જાણીતા છે. દશેરાના દિવસે અમદાવાદમાં  ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થતું હોવાથી ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે. એક અંદાજ મુજબ આ વર્ષે દશેરા પર્વ પર 10થી 12 લાખ કિલો ફાફડા-જલેબી વેચાશે તેવી શક્યતા છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે