અમદાવાદીઓ ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડ્યા, 10થી 12 લાખ કિલો ફાફડાના વેચાણનું અનુમાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:05:44


આજે પવિત્ર દશેરાનો દિવસ છે, આ વિજયાદશમીનો તહેવાર આમ તો અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવે છે. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક વર્ષો જૂની અને અનોખી પરંપરા રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદીઓએ ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ફરસાણની દુકાનો સામે લોકોની કતારો જોવા મળી રહી છે.


ફાફડા-જલેબીના ભાવ આસમાને


આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જલેબી-ફાફડાનું ધૂમ વેચાણ થયું. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આજે પણ લોકો પોત-પોતાના મનપંસદ સ્થળે જલેબી-ફાફડા લેવા પહોંચ્યા. લોકો એ ચટણી સાથે ફાફડાની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડાનો ભાવ રૂ. 650થી 900 પ્રતિ કિલો અને જલેબીનો ભાવ રૂ. 750થી 1050 છે. જો કે આટલા ભાવ છતાં પણ લોકો તે ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. 


આજે અમદાવાદમાં 10થી 12 લાખ કિલો ફાફડાનું થશે વેચાણ


અમદાવાદીઓ કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણી હર્ષોલ્લાસભેર કરતા માટે જાણીતા છે. દશેરાના દિવસે અમદાવાદમાં  ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થતું હોવાથી ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે. એક અંદાજ મુજબ આ વર્ષે દશેરા પર્વ પર 10થી 12 લાખ કિલો ફાફડા-જલેબી વેચાશે તેવી શક્યતા છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.