અમદાવાદીઓ ફાફડા-જલેબી ખરીદવા ઉમટી પડ્યા, 10થી 12 લાખ કિલો ફાફડાના વેચાણનું અનુમાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 12:05:44


આજે પવિત્ર દશેરાનો દિવસ છે, આ વિજયાદશમીનો તહેવાર આમ તો અસત્ય પર સત્યના વિજય તરીકે મનાવવામાં આવે છે. જો કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આ દિવસે ફાફડા-જલેબી ખાવાની એક વર્ષો જૂની અને અનોખી પરંપરા રહી છે. આજે વહેલી સવારથી જ અમદાવાદીઓએ ફાફડા-જલેબી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના તમામ વિસ્તારોમાં ફરસાણની દુકાનો સામે લોકોની કતારો જોવા મળી રહી છે.


ફાફડા-જલેબીના ભાવ આસમાને


આજે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં જલેબી-ફાફડાનું ધૂમ વેચાણ થયું. અમદાવાદીઓ સામાન્ય રીતે દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. આજે પણ લોકો પોત-પોતાના મનપંસદ સ્થળે જલેબી-ફાફડા લેવા પહોંચ્યા. લોકો એ ચટણી સાથે ફાફડાની મોજ માણી હતી. અમદાવાદમાં ફાફડાનો ભાવ રૂ. 650થી 900 પ્રતિ કિલો અને જલેબીનો ભાવ રૂ. 750થી 1050 છે. જો કે આટલા ભાવ છતાં પણ લોકો તે ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. 


આજે અમદાવાદમાં 10થી 12 લાખ કિલો ફાફડાનું થશે વેચાણ


અમદાવાદીઓ કોઈ પણ તહેવાર હોય તેની ઉજવણી હર્ષોલ્લાસભેર કરતા માટે જાણીતા છે. દશેરાના દિવસે અમદાવાદમાં  ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થતું હોવાથી ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરી નાખતા હોય છે. એક અંદાજ મુજબ આ વર્ષે દશેરા પર્વ પર 10થી 12 લાખ કિલો ફાફડા-જલેબી વેચાશે તેવી શક્યતા છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .