દ્વારકામાં પાણી ભરાયા, સોશિયલ મીડિયા પર ખેડૂતનો એક વીડિયો વાયરલ થયો જેમાં...


  • Published By :
  • Published Date : 2024-07-24 17:19:02

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ ત્યાંથી વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે અત્યંત ભયાનક છે. તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વધારે વરસાદને કારણે મચેલી તબાહીને કારણે ખેડૂતોને વધારે નુકસાન થયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે.   

ખેડૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં...

રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વધારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલ થોડો વરસાદ ધીમો પડ્યો છે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યો છે કે વરસાદ બંધ થઈ જાય.. દોહાના માધ્યમથી ખેડૂત વેદના રજૂ કરી રહ્યા છે. 


દ્વારકા તેમજ જામનગરની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત

મહત્વનું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર તેમજ દ્વારકા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.. ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ તેમણે મેળવ્યો હતો. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની પ્રતીક્ષામાં છે. ત્યારે તમારે ત્યાં વાતાવરણ કેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.