બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે દ્વારકા જગત મંદિર રહેશે બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-14 18:11:10

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા યાત્રાધામો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટે  દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહીં ચડે, પવનની સ્થિતિના કારણે ધ્વજાને પણ નુકશાન થયું છે.


શ્રધ્ધાળુઓ માટે જગતમંદિર રહેશે બંધ


દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે શ્રધ્ધાળુઓ સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. 


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે લોકોને કરી આ અપીલ


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોવાથી તમનો પ્રવાસ મોકૂફ રાખે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.