બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે દ્વારકા જગત મંદિર રહેશે બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-14 18:11:10

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર અને ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા યાત્રાધામો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર ટ્રસ્ટે  દ્વારકાધીશ જગતમંદિર આવતી કાલે ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહીં ચડે, પવનની સ્થિતિના કારણે ધ્વજાને પણ નુકશાન થયું છે.


શ્રધ્ધાળુઓ માટે જગતમંદિર રહેશે બંધ


દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે શ્રધ્ધાળુઓ સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકશે. 


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે લોકોને કરી આ અપીલ


દ્વારકા જગત મંદિર ટ્રસ્ટે પણ લોકોને અપીલ કરતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ભગવાન દ્વારકાધીશના ભક્તો-યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે દ્વારકાધીશ મંદિર આવતીકાલે 15મી જૂન 2023એ ગુરુવારે દર્શન માટે બંધ રહેશે. શ્રધ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોવાથી તમનો પ્રવાસ મોકૂફ રાખે. જોકે શ્રીજીની સેવા પુજાનો નિત્યક્રમ પરંપરા પ્રમાણે પુજારીઓ દ્વારા ચાલુ રહેશે. જે ભક્તો નિત્યદર્શન કરવા માગતા હોય તેઓ સંસ્થાની વેબસાઈટ dwarkadhish.org તથા સંસ્થાના અન્ય સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન દર્શન કરી શકશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.