જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ, CJI લલિતે કરી સરકારને ભલામણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 12:15:16

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના નામની જાહેરાત થઈ ગઈ છે. ડીવાય ચંદ્રચુડ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુગામીના નામની ભલામણ તેમને મોકલે. સિનિયોરિટી લિસ્ટ અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ વર્તમાન CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે. સેટ કન્વેન્શન મુજબ સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.


ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ બનશે


CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થાય છે. તેઓ આ પદ પર માત્ર 74 દિવસ જ રહેશે. જસ્ટિસ લલિતને 26 ઓગસ્ટ 2022ના રોજ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે. જ્યારે તેમના પુરોગામી મુખ્ય ન્યાયાધીશોનો સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષનો હતો. ડીવાય ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ  હશે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેમને 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


ન્યાયાધીશ ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે


આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .