જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ, CJI લલિતે કરી સરકારને ભલામણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 12:15:16

સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના નામની જાહેરાત થઈ ગઈ છે. ડીવાય ચંદ્રચુડ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્ર સરકાર વતી કાયદા મંત્રાલયે CJI લલિતને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુગામીના નામની ભલામણ તેમને મોકલે. સિનિયોરિટી લિસ્ટ અનુસાર, જસ્ટિસ ચંદ્રચુડ વર્તમાન CJI લલિત પછી સૌથી વરિષ્ઠ છે. સેટ કન્વેન્શન મુજબ સરકારને તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.


ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ બનશે


CJI લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થાય છે. તેઓ આ પદ પર માત્ર 74 દિવસ જ રહેશે. જસ્ટિસ લલિતને 26 ઓગસ્ટ 2022ના રોજ CJI NV રમનનો કાર્યકાળ પૂરો થયા બાદ દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ માત્ર અઢી મહિનાનો છે. જ્યારે તેમના પુરોગામી મુખ્ય ન્યાયાધીશોનો સરેરાશ કાર્યકાળ 1.5 વર્ષનો હતો. ડીવાય ચંદ્રચુડ દેશના 50માં ન્યાયાધીશ  હશે. જસ્ટિસ ચંદ્રચુડ 9 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેમને 2016માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


ન્યાયાધીશ ચંદ્રચુડના પિતા પણ CJI રહી ચૂક્યા છે


આગામી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અંગે એક રોચક તથ્ય પણ છે. જસ્ટિસ ચંદ્રચૂડના પિતાજી વાય વી ચંદ્રચુંડ પણ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચીફ જસ્ટિસ રહ્યાં હતા. રસપ્રદ વાત એ છે કે જસ્ટિસ ચંદ્રચૂડના પિતા દેશના સૌથી લાંબા સમય સુધીના ચીફ જસ્ટિસ રહ્યાં હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે