Gujaratની E-Assemblyનું થશે લોકાર્પણ, રાષ્ટ્રપતિ Draupadi Murmu કરશે ઉદ્ઘાટન,જુઓ Digital Legislative Assemblyનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:29:01

આવતીકાલથી ગુજરાત વિધાનસભામાં સત્રનો પ્રારંભ થવાનો છે. આ વિધાનસભાનું સત્ર સામાન્ય સત્ર જેવું નહીં હોય. ડિઝિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા માટે મહત્વનો દિવસ છે કારણ કે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ સિસ્ટમની શરૂઆત થવાની છે. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તમામ કાર્યવાહી ઈ-વિધાનસભા અંતર્ગત થશે. એટલે હવેથી 15મી વિધાનસભામાં કાગળના ઉપયોગની જગ્યાએ વિદ્યુત યંત્રોનો ઉપયોગ કરવામાં આવશે. 

ગુજરાત વિધાનસભા બનશે દેશની પ્રથમ ઈ-વિધાનસભા 

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પેપરલેસ વિધાનસભાનું લોન્ચિંગ કરશે અને વિધાનસભા પણ સંબોધશે. ઈ-વિધાનસભા સહિત રાષ્ટ્રપતિ આયુષ્યમાન ભવઃ એપનું પણ લોન્ચિંગ કરશે. આજે રાષ્ટ્રપતિ ગુજરાતના અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતરશે. આવતીકાલે બપોરે 12 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં સંબોધન કરશે.  ઈ વિધાનસભા એપ્લિકેશન હેઠળ ગુજરાત વિધાનસભા ભારતની પહેલી ઈ-વિધાનસભા બનશે. જો કે ઉત્તરાખંડે ઈ વિધાનસભાનો નિર્ણય કર્યો છે પણ હજુ સુધી એ લાગુ નથી થઈ શક્યો. 


ઈ વિધાનસભા આ રીતે કામ કરશે... 

પાછલી વિધાનસભાથી ઈ વિધાનસભા કઈ રીતે અલગ છે તેની વાત કરીએ તો હવેથી ધારાસભ્યોને કાગળ પર સહી નહીં કરવી પડે. ધારાસભ્ય પોતાના સ્થાનેથી ટેબલેટથી પ્રશ્નો પૂછશે. તમને એવો પ્રશ્ન મગજમાં થયો જ હશે કે આપણા તો ઘણા ધારાસભ્યો ભણ્યા જ નથી તો એ લોકો કેવી રીતે ટેબલેટનો ઉપયોગ કરશે. તો એનો જવાબ છે કે ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ પહેલેથી જ તમામ ધારાસભ્યોને ચાહે એ કોઈ પણ રાજકીય પક્ષના હોય તેમને તાલીમ આપી દીધી છે કે કેવી રીતે ઈ-લોકસભાની કામગીરી રહેશે અને કેવી રીતે ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. 


આવતી કાલથી સત્રનો થવાનો છે પ્રારંભ 

મહત્વનું છે કે વિધાનસભા સત્રમાં રાજ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ સત્રમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓબિસી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. આવતી કાલથી સત્રનો પ્રારંભ  થવાનો છે પરંતુ મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખી આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસા સત્રમાં એટલે ત્રણ દિવસ ચાલનારા સત્રમાં 8 જેટલા બિલો રજૂ કરાઈ શકે છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.