Gujaratની E-Assemblyનું થશે લોકાર્પણ, રાષ્ટ્રપતિ Draupadi Murmu કરશે ઉદ્ઘાટન,જુઓ Digital Legislative Assemblyનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-12 10:29:01

આવતીકાલથી ગુજરાત વિધાનસભામાં સત્રનો પ્રારંભ થવાનો છે. આ વિધાનસભાનું સત્ર સામાન્ય સત્ર જેવું નહીં હોય. ડિઝિટલાઈઝેશન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભા માટે મહત્વનો દિવસ છે કારણ કે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ સિસ્ટમની શરૂઆત થવાની છે. આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તમામ કાર્યવાહી ઈ-વિધાનસભા અંતર્ગત થશે. એટલે હવેથી 15મી વિધાનસભામાં કાગળના ઉપયોગની જગ્યાએ વિદ્યુત યંત્રોનો ઉપયોગ કરવામાં આવશે. 

ગુજરાત વિધાનસભા બનશે દેશની પ્રથમ ઈ-વિધાનસભા 

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પેપરલેસ વિધાનસભાનું લોન્ચિંગ કરશે અને વિધાનસભા પણ સંબોધશે. ઈ-વિધાનસભા સહિત રાષ્ટ્રપતિ આયુષ્યમાન ભવઃ એપનું પણ લોન્ચિંગ કરશે. આજે રાષ્ટ્રપતિ ગુજરાતના અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતરશે. આવતીકાલે બપોરે 12 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં સંબોધન કરશે.  ઈ વિધાનસભા એપ્લિકેશન હેઠળ ગુજરાત વિધાનસભા ભારતની પહેલી ઈ-વિધાનસભા બનશે. જો કે ઉત્તરાખંડે ઈ વિધાનસભાનો નિર્ણય કર્યો છે પણ હજુ સુધી એ લાગુ નથી થઈ શક્યો. 


ઈ વિધાનસભા આ રીતે કામ કરશે... 

પાછલી વિધાનસભાથી ઈ વિધાનસભા કઈ રીતે અલગ છે તેની વાત કરીએ તો હવેથી ધારાસભ્યોને કાગળ પર સહી નહીં કરવી પડે. ધારાસભ્ય પોતાના સ્થાનેથી ટેબલેટથી પ્રશ્નો પૂછશે. તમને એવો પ્રશ્ન મગજમાં થયો જ હશે કે આપણા તો ઘણા ધારાસભ્યો ભણ્યા જ નથી તો એ લોકો કેવી રીતે ટેબલેટનો ઉપયોગ કરશે. તો એનો જવાબ છે કે ગુજરાત વિધાનસભાના અધિકારીઓએ પહેલેથી જ તમામ ધારાસભ્યોને ચાહે એ કોઈ પણ રાજકીય પક્ષના હોય તેમને તાલીમ આપી દીધી છે કે કેવી રીતે ઈ-લોકસભાની કામગીરી રહેશે અને કેવી રીતે ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. 


આવતી કાલથી સત્રનો થવાનો છે પ્રારંભ 

મહત્વનું છે કે વિધાનસભા સત્રમાં રાજ્યને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આ સત્રમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓબિસી મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. આવતી કાલથી સત્રનો પ્રારંભ  થવાનો છે પરંતુ મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખી આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસા સત્રમાં એટલે ત્રણ દિવસ ચાલનારા સત્રમાં 8 જેટલા બિલો રજૂ કરાઈ શકે છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી