બેફામ વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો હવે ઘરે આવશે E-Memo


  • Published By :
  • Published Date : 2023-02-19 20:01:43

રાજ્યમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે સરકાર આકરા પગલા ભરશે. શહેરોમાં બેફામ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે પણ ખતરારૂપ બનતા વાહનચાલકોને પાઠ ભણાવવા માટે સરકારે ખાસ યોજના બનાવી છે. તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ લોકોના ઘરે ઈ-મેમો આવશે. પહેલા માત્ર 3 નિયમોને લઈ ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા. 


આ છે મુખ્ય નિયમો


1-રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય

2-નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો 

3-ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો  

4-નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો

5-રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડવા

6-રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેસાડવા

7-ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો

8-HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો

9-ફોર વ્હિલર્સમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય

10-ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહીં હોય

11-બાઈક ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.