બેફામ વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો હવે ઘરે આવશે E-Memo


  • Published By :
  • Published Date : 2023-02-19 20:01:43

રાજ્યમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે સરકાર આકરા પગલા ભરશે. શહેરોમાં બેફામ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે પણ ખતરારૂપ બનતા વાહનચાલકોને પાઠ ભણાવવા માટે સરકારે ખાસ યોજના બનાવી છે. તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ લોકોના ઘરે ઈ-મેમો આવશે. પહેલા માત્ર 3 નિયમોને લઈ ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા. 


આ છે મુખ્ય નિયમો


1-રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય

2-નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો 

3-ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો  

4-નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો

5-રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડવા

6-રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેસાડવા

7-ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો

8-HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો

9-ફોર વ્હિલર્સમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય

10-ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહીં હોય

11-બાઈક ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.