બેફામ વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો હવે ઘરે આવશે E-Memo


  • Published By :
  • Published Date : 2023-02-19 20:01:43

રાજ્યમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે સરકાર આકરા પગલા ભરશે. શહેરોમાં બેફામ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે પણ ખતરારૂપ બનતા વાહનચાલકોને પાઠ ભણાવવા માટે સરકારે ખાસ યોજના બનાવી છે. તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ લોકોના ઘરે ઈ-મેમો આવશે. પહેલા માત્ર 3 નિયમોને લઈ ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા. 


આ છે મુખ્ય નિયમો


1-રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય

2-નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો 

3-ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો  

4-નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો

5-રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર બેસાડવા

6-રિક્ષામાં ડ્રાયવર સીટ પર પેસેન્જર બેસાડવા

7-ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો

8-HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો

9-ફોર વ્હિલર્સમાં સીટ બેલ્ટ ન પહેર્યો હોય

10-ટ્રાફિક સિગ્નલ તોડનારા અને ગતિ મર્યાદા નહીં હોય

11-બાઈક ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.