સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ચાલતી ઈ-રિક્ષા બંધ થઈ જશે? ઈ-રિક્ષાઓમાં આગના બનાવ બનતા આ સેવાને બંધ કરવાનો લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-03-21 13:33:42

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતા શરૂ કરવામાં આવેલી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. પહેલા સી પ્લેન બંધ થયું ત્યારે હવે ઈલેક્ટ્રિક રીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. રિક્ષાઓ તેમજ ચાર્જિંગ સ્ટેશનમાં બની રહેલી આગની ઘટનાઓને લઈ આ સેવા બંધ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઈ-રિક્ષા બંધ થશે તો અનેક મહિલાઓ બેરોજગાર થઈ શકે છે. 


રિક્ષાઓમાં આગ લાગતા લેવાયો નિર્ણય!  

દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેવડિયામાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. 100 જેટલી ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેને કારણે મહિલાઓને રોજગાર મળી રહેતો હતો. ત્યારે મળતી વિગતો અનુસાર ઈ-રિક્ષાઓને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષામાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.  


પ્રદુષણ નિયંત્રણને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ હતી ઈ-રિક્ષા  

ચાર્જિંગ સ્ટેશનમાં તેમજ રિક્ષાઓમાં આગ લાગવાને કારણે આ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે 30 જેટલી રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે કેવડિયામાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. જે બાદ આનો કોન્ટ્રાક્ટ KETOને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈ રિક્ષાઓ બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે 43 જેટલી બસો કાર્યરત છે.      


સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવાઈ!

અમદાવાદથી સીધું કેવડિયા પહોંચી શકાય તે માટે સાબરમતી રિવરફન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2020માં શરૂ કરવામાં આવેલી આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કરોડોનો ખર્ચ આ સેવાને શરૂ  પાછળ કરવામાં આવ્યો હતો. આની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી બંધ પડેલી આ સેવા આવનાર દિવસોમાં ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષાની સર્વિસ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ શકે છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.