સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ચાલતી ઈ-રિક્ષા બંધ થઈ જશે? ઈ-રિક્ષાઓમાં આગના બનાવ બનતા આ સેવાને બંધ કરવાનો લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-03-21 13:33:42

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતા શરૂ કરવામાં આવેલી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. પહેલા સી પ્લેન બંધ થયું ત્યારે હવે ઈલેક્ટ્રિક રીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. રિક્ષાઓ તેમજ ચાર્જિંગ સ્ટેશનમાં બની રહેલી આગની ઘટનાઓને લઈ આ સેવા બંધ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઈ-રિક્ષા બંધ થશે તો અનેક મહિલાઓ બેરોજગાર થઈ શકે છે. 


રિક્ષાઓમાં આગ લાગતા લેવાયો નિર્ણય!  

દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેવડિયામાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. 100 જેટલી ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેને કારણે મહિલાઓને રોજગાર મળી રહેતો હતો. ત્યારે મળતી વિગતો અનુસાર ઈ-રિક્ષાઓને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષામાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.  


પ્રદુષણ નિયંત્રણને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ હતી ઈ-રિક્ષા  

ચાર્જિંગ સ્ટેશનમાં તેમજ રિક્ષાઓમાં આગ લાગવાને કારણે આ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે 30 જેટલી રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે કેવડિયામાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. જે બાદ આનો કોન્ટ્રાક્ટ KETOને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈ રિક્ષાઓ બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે 43 જેટલી બસો કાર્યરત છે.      


સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવાઈ!

અમદાવાદથી સીધું કેવડિયા પહોંચી શકાય તે માટે સાબરમતી રિવરફન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2020માં શરૂ કરવામાં આવેલી આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કરોડોનો ખર્ચ આ સેવાને શરૂ  પાછળ કરવામાં આવ્યો હતો. આની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી બંધ પડેલી આ સેવા આવનાર દિવસોમાં ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષાની સર્વિસ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ શકે છે.     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.