સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ચાલતી ઈ-રિક્ષા બંધ થઈ જશે? ઈ-રિક્ષાઓમાં આગના બનાવ બનતા આ સેવાને બંધ કરવાનો લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-03-21 13:33:42

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતા શરૂ કરવામાં આવેલી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. પહેલા સી પ્લેન બંધ થયું ત્યારે હવે ઈલેક્ટ્રિક રીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. રિક્ષાઓ તેમજ ચાર્જિંગ સ્ટેશનમાં બની રહેલી આગની ઘટનાઓને લઈ આ સેવા બંધ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઈ-રિક્ષા બંધ થશે તો અનેક મહિલાઓ બેરોજગાર થઈ શકે છે. 


રિક્ષાઓમાં આગ લાગતા લેવાયો નિર્ણય!  

દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેવડિયામાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. 100 જેટલી ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેને કારણે મહિલાઓને રોજગાર મળી રહેતો હતો. ત્યારે મળતી વિગતો અનુસાર ઈ-રિક્ષાઓને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષામાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.  


પ્રદુષણ નિયંત્રણને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ હતી ઈ-રિક્ષા  

ચાર્જિંગ સ્ટેશનમાં તેમજ રિક્ષાઓમાં આગ લાગવાને કારણે આ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે 30 જેટલી રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે કેવડિયામાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. જે બાદ આનો કોન્ટ્રાક્ટ KETOને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈ રિક્ષાઓ બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે 43 જેટલી બસો કાર્યરત છે.      


સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવાઈ!

અમદાવાદથી સીધું કેવડિયા પહોંચી શકાય તે માટે સાબરમતી રિવરફન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2020માં શરૂ કરવામાં આવેલી આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કરોડોનો ખર્ચ આ સેવાને શરૂ  પાછળ કરવામાં આવ્યો હતો. આની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી બંધ પડેલી આ સેવા આવનાર દિવસોમાં ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષાની સર્વિસ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ શકે છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.