સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ચાલતી ઈ-રિક્ષા બંધ થઈ જશે? ઈ-રિક્ષાઓમાં આગના બનાવ બનતા આ સેવાને બંધ કરવાનો લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-03-21 13:33:42

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આવેલી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમય જતા શરૂ કરવામાં આવેલી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી રહી છે. પહેલા સી પ્લેન બંધ થયું ત્યારે હવે ઈલેક્ટ્રિક રીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. રિક્ષાઓ તેમજ ચાર્જિંગ સ્ટેશનમાં બની રહેલી આગની ઘટનાઓને લઈ આ સેવા બંધ કરવાનો નિર્ણય એજન્સી દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો ઈ-રિક્ષા બંધ થશે તો અનેક મહિલાઓ બેરોજગાર થઈ શકે છે. 


રિક્ષાઓમાં આગ લાગતા લેવાયો નિર્ણય!  

દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે પ્રદુષણને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે કેવડિયામાં પ્રદુષણ ઓછું થાય તે માટે ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી હતી. 100 જેટલી ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી જેને કારણે મહિલાઓને રોજગાર મળી રહેતો હતો. ત્યારે મળતી વિગતો અનુસાર ઈ-રિક્ષાઓને બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિક્ષામાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવતા આ નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે.  


પ્રદુષણ નિયંત્રણને ધ્યાનમાં રાખી શરૂ કરાઈ હતી ઈ-રિક્ષા  

ચાર્જિંગ સ્ટેશનમાં તેમજ રિક્ષાઓમાં આગ લાગવાને કારણે આ સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે 30 જેટલી રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે કેવડિયામાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો હતો. જે બાદ આનો કોન્ટ્રાક્ટ KETOને સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ઈ રિક્ષાઓ બંધ થવાથી પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે કારણ કે 43 જેટલી બસો કાર્યરત છે.      


સી-પ્લેન સેવા પણ બંધ કરી દેવાઈ!

અમદાવાદથી સીધું કેવડિયા પહોંચી શકાય તે માટે સાબરમતી રિવરફન્ટથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 2020માં શરૂ કરવામાં આવેલી આ સેવા બંધ કરી દેવામાં આવી છે. કરોડોનો ખર્ચ આ સેવાને શરૂ  પાછળ કરવામાં આવ્યો હતો. આની પાછળ 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી બંધ પડેલી આ સેવા આવનાર દિવસોમાં ફરી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી ઈ-રિક્ષાની સર્વિસ પણ ટૂંક સમયમાં બંધ કરી દેવાઈ શકે છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે