અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં આજે સવારે ધરતીકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા, જાન-માલનું કોઈ નુકસાન નહીં


  • Published By :
  • Published Date : 2023-06-11 13:06:33

દેશના પૂર્વ ભાગના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આજે સવારે ભૂકંપથી ધરા ધ્રુજી ઉઠી હતી.  અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં રવિવારે વહેલી સવારે 6:34 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. એનસીએસ પ્રમાણે, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની કોઈ માહિતી નથી. તેનું કેન્દ્ર જમીનમાં 33 કિલોમીટર ઊંડે હતું. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.


જાન-માલને કોઈ નુકસાન નહીં


ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે જાન-માલના નુકસાનના કોઈ રિપોર્ટ નથી. પશ્ચિમ કામેંગ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.