દિલ્હી-NCR માં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2022-11-13 00:18:51

દિલ્હી અને NCR વિસ્તારમાં ધરા ધ્રુજી ઉઠી હતી. દિલ્હી-NCR  અને તેની આજુબાજુના વિસ્તારો શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે જણાયું હતું.  


ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ

માત્ર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા છે. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCR ઉપરાંત ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.


ઉત્તરાખંડમાં પણ ધરતીકંપ

ઉત્તરાખંડમાં પણ સાંજે 4.25 કલાકે ભૂકંપ આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ઋષિકેશ હતું. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આ ઉપરાંત પૌડી ગઢવાલ અને રૂદ્રપ્રયાગમાં શનિવાર સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. જો કે ભૂકંપના કારણે જાનમાલની નુકસાનના કોઈ સમાચાર નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે