દિલ્હી-NCR માં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2022-11-13 00:18:51

દિલ્હી અને NCR વિસ્તારમાં ધરા ધ્રુજી ઉઠી હતી. દિલ્હી-NCR  અને તેની આજુબાજુના વિસ્તારો શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે જણાયું હતું.  


ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ

માત્ર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા છે. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCR ઉપરાંત ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.


ઉત્તરાખંડમાં પણ ધરતીકંપ

ઉત્તરાખંડમાં પણ સાંજે 4.25 કલાકે ભૂકંપ આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ઋષિકેશ હતું. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આ ઉપરાંત પૌડી ગઢવાલ અને રૂદ્રપ્રયાગમાં શનિવાર સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. જો કે ભૂકંપના કારણે જાનમાલની નુકસાનના કોઈ સમાચાર નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.