દિલ્હી-NCR માં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2022-11-13 00:18:51

દિલ્હી અને NCR વિસ્તારમાં ધરા ધ્રુજી ઉઠી હતી. દિલ્હી-NCR  અને તેની આજુબાજુના વિસ્તારો શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યાં હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 ફૂટ ઊંડે જણાયું હતું.  


ધરતીકંપથી લોકોમાં ભયનો માહોલ

માત્ર એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના આંચકાથી લોકો ભયભીત બની ગયા છે. ભૂકંપને પગલે લોકો ઘર અને ઓફિસો છોડીને બહાર દોડી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCR ઉપરાંત ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.


ઉત્તરાખંડમાં પણ ધરતીકંપ

ઉત્તરાખંડમાં પણ સાંજે 4.25 કલાકે ભૂકંપ આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ઋષિકેશ હતું. ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4ની નોંધાઈ હતી. આ ઉપરાંત પૌડી ગઢવાલ અને રૂદ્રપ્રયાગમાં શનિવાર સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ઉત્તરાખંડમાં આવેલ ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાવા પામી છે. ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર 5 કિલોમીટર સુધીનું જાણવા મળી રહ્યું છે. જો કે ભૂકંપના કારણે જાનમાલની નુકસાનના કોઈ સમાચાર નથી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.