રાજકોટના ગોંડલમાં ભૂકંપ આવતા લોકો ગભરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:00:11


રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10:40 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની માપવાના યંત્ર સિસ્મોમીટરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ મપાયો હતો. જમીનથી 11.6 કિલો મીટર અંદરના સ્થાને ફેરફારો થવાના કારણે ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ પણ લોકોને કે ઘરોને નુકસાન પહોંચ્યું નથી. સરકારી કે ખાનગી માલિકીના મિલકતોમાં પણ કોઈ નુકસાન થયું નથી તે પ્રશાસન માટે રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.


ભૂકંપ શા માટે આવતા હોય છે?

પૃથ્વીની સપાટીથી અંદર મેગ્મા નામના રસના હલવાથી કે વરાળના જમા થઈ જવાના કારણે સમયાનુસાર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું ઊંડું હોય છે તેટલો ભૂકંપ ઓછો હોય છે કારણ કે ભૂકંપ ઉંડો હોવાથી મેગ્માનો રસ ભૂકંપના કંપનને શોષી લેય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું નજીક હોય છે તેટલો ભૂકંપ વધુ હોય છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટના વધુ બનતી હોય છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.