રાજકોટના ગોંડલમાં ભૂકંપ આવતા લોકો ગભરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 12:00:11


રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 10:40 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપની માપવાના યંત્ર સિસ્મોમીટરમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ મપાયો હતો. જમીનથી 11.6 કિલો મીટર અંદરના સ્થાને ફેરફારો થવાના કારણે ભૂકંપ આવ્યો હતો. જો કે ભૂકંપના કારણે કોઈ પણ લોકોને કે ઘરોને નુકસાન પહોંચ્યું નથી. સરકારી કે ખાનગી માલિકીના મિલકતોમાં પણ કોઈ નુકસાન થયું નથી તે પ્રશાસન માટે રાહતનો શ્વાસ લેવા જેવી સ્થિતિ છે.


ભૂકંપ શા માટે આવતા હોય છે?

પૃથ્વીની સપાટીથી અંદર મેગ્મા નામના રસના હલવાથી કે વરાળના જમા થઈ જવાના કારણે સમયાનુસાર ભૂકંપ આવતા હોય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું ઊંડું હોય છે તેટલો ભૂકંપ ઓછો હોય છે કારણ કે ભૂકંપ ઉંડો હોવાથી મેગ્માનો રસ ભૂકંપના કંપનને શોષી લેય છે. ભૂકંપ થવાનું સ્થાન જમીનથી જેટલું નજીક હોય છે તેટલો ભૂકંપ વધુ હોય છે. ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટના વધુ બનતી હોય છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .