કચ્છમાં અનુભવાયો ધરતીકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-03-20 12:02:49

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.2ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે અનેક સમયથી ધરતીકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


ભૂકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર

ધરતીકંપે તુર્કી અને સિરિયામાં ભારે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ધરતીકંપને કારણે થયેલા નુકસાનને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. 


નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ  

થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો આજે કચ્છની ધરા ધ્રુજી છે. મળતી માહિતી અનુસાર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી હોય પણ અનેક વખત આવતા ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો  છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.