કચ્છમાં અનુભવાયો ધરતીકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-03-20 12:02:49

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.2ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે અનેક સમયથી ધરતીકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


ભૂકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર

ધરતીકંપે તુર્કી અને સિરિયામાં ભારે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ધરતીકંપને કારણે થયેલા નુકસાનને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. 


નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ  

થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો આજે કચ્છની ધરા ધ્રુજી છે. મળતી માહિતી અનુસાર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી હોય પણ અનેક વખત આવતા ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો  છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે