કચ્છમાં અનુભવાયો ધરતીકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-03-20 12:02:49

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.2ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે અનેક સમયથી ધરતીકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


ભૂકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર

ધરતીકંપે તુર્કી અને સિરિયામાં ભારે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ધરતીકંપને કારણે થયેલા નુકસાનને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. 


નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ  

થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો આજે કચ્છની ધરા ધ્રુજી છે. મળતી માહિતી અનુસાર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી હોય પણ અનેક વખત આવતા ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો  છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે