કચ્છમાં અનુભવાયો ધરતીકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-03-20 12:02:49

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.2ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે અનેક સમયથી ધરતીકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


ભૂકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર

ધરતીકંપે તુર્કી અને સિરિયામાં ભારે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો બેઘર થઈ ગયા છે. ધરતીકંપને કારણે થયેલા નુકસાનને લઈ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ અનેક વખત ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. 


નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ  

થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો તો આજે કચ્છની ધરા ધ્રુજી છે. મળતી માહિતી અનુસાર આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. ભલે ભૂકંપની તીવ્રતા ઓછી હોય પણ અનેક વખત આવતા ધરતીકંપના આંચકાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો  છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.