ભારતમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! નિકોબારમાં આવ્યો 5.0 તીવ્રતાનો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-03-06 11:18:55

થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવાર સવારે અંદમાન-નિકોબાર ટાપુ વિસ્તારમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. 


ભારતમાં પણ થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ!

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સિરીયામાં ધરતીકંપે વિનાશ સર્જ્યો હતો. હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે હજારો લોકો બેઘર થયા છે. થોડા દિવસો પહેલા ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે સોમવાર સવારે અંદમાન નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. 5.0 તીવ્રતા વાળો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોવાની જાણકારી નથી મળી.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.