ભારતમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! નિકોબારમાં આવ્યો 5.0 તીવ્રતાનો ભૂકંપ


  • Published By :
  • Published Date : 2023-03-06 11:18:55

થોડા સમય પહેલા તુર્કી અને સિરીયામાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં ધરતીકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવાર સવારે અંદમાન-નિકોબાર ટાપુ વિસ્તારમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. ધરતીકંપને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. 


ભારતમાં પણ થઈ રહ્યો છે ભૂકંપનો અનુભવ!

ઘણા સમયથી વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સિરીયામાં ધરતીકંપે વિનાશ સર્જ્યો હતો. હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે હજારો લોકો બેઘર થયા છે. થોડા દિવસો પહેલા ન્યુઝિલેન્ડમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે સોમવાર સવારે અંદમાન નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. 5.0 તીવ્રતા વાળો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે જાનહાની થઈ હોવાની જાણકારી નથી મળી.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.