અમરેલીમાં સતત અનુભવાયા ધરતીકંપના આંચકા, 24 કલાકમાં અનેક વખત થયો ભૂકંપનો અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-25 12:24:14

ગુજરાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ભૂકંપના આંચકાનો સતત અહેસાસ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર 24 કલાકમાં 6 જેટલા આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનું કહેવું છે કે ધરતીકંપના આંચકા આવવાથી લોકો ઘરની બહાર રાત્રે સૂવા મજબૂર બન્યા છે. ભલે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ અનેક વખત ધરતીકંપ આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


24 કલાકમાં અનેક વખત ધરા ધ્રુજતા લોકોમાં ડર 

ગુજરાતના અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં સતત ધરતીકંપનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 24 કલાકમાં 6 જેટલી વખત ધરા ધ્રુજી છે જેને કારણે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપની તીવ્રતા ભલે ઓછી હોય પણ અનેક વખત આવતા ભૂકંપને કારણે લોકો ચિંતામાં  મૂકાયા છે. 


રિક્ટર સ્કેલ પર ઓછી નોંધાઈ તીવ્રતા 

અમરેલીના ખાંભામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા નોંધાયું હતું. ગીરના જંગલોના ગામડામાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.