અમરેલીમાં સતત અનુભવાયા ધરતીકંપના આંચકા, 24 કલાકમાં અનેક વખત થયો ભૂકંપનો અનુભવ


  • Published By :
  • Published Date : 2023-02-25 12:24:14

ગુજરાતમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ભૂકંપના આંચકાનો સતત અહેસાસ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર 24 કલાકમાં 6 જેટલા આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. ધરતીકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનું કહેવું છે કે ધરતીકંપના આંચકા આવવાથી લોકો ઘરની બહાર રાત્રે સૂવા મજબૂર બન્યા છે. ભલે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ અનેક વખત ધરતીકંપ આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


24 કલાકમાં અનેક વખત ધરા ધ્રુજતા લોકોમાં ડર 

ગુજરાતના અનેક જગ્યાઓ પર ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં સતત ધરતીકંપનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 24 કલાકમાં 6 જેટલી વખત ધરા ધ્રુજી છે જેને કારણે રાત્રે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂકંપની તીવ્રતા ભલે ઓછી હોય પણ અનેક વખત આવતા ભૂકંપને કારણે લોકો ચિંતામાં  મૂકાયા છે. 


રિક્ટર સ્કેલ પર ઓછી નોંધાઈ તીવ્રતા 

અમરેલીના ખાંભામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાના ધારી ઈંગોરાળા નોંધાયું હતું. ગીરના જંગલોના ગામડામાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અનેક વખત ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા વધવાની સાથે તેની તીવ્રતામાં પણ વધારો થઈ રહ્યો છે. તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2થી 3.4 સુધીની નોંધાઈ છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.