બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-06-14 18:58:54

ગુજરાત પર ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભયાનક ચક્રવાતથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યનું વહીવટી તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે સાબદુ બન્યું છે ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


3.2 ની તિવ્રતાનો ધરતીકંપ


કચ્છમાં આજે સાંજે 5.05 વાગ્યે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર મળ્યા નથી.


વાવાઝોડાની શું છે સ્થિતી?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 15 જૂને સાંજે જખૌની આસપાસ અથડાશે. વાવાઝોડું હજુ પણ જખૌથી 280 કિમીના અંતરે છે. દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘વાવાઝોડું સિવિયર સ્ટોર્મ છે, હાલ તેની સ્થિતિ અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં છે.’15મીની સાંજે વાવાઝોડું કેટલા વાગ્યે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ હવામાન વિભાગ આપ્યો છે. જો કે, તેમાં સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.