બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-06-14 18:58:54

ગુજરાત પર ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભયાનક ચક્રવાતથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યનું વહીવટી તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે સાબદુ બન્યું છે ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


3.2 ની તિવ્રતાનો ધરતીકંપ


કચ્છમાં આજે સાંજે 5.05 વાગ્યે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર મળ્યા નથી.


વાવાઝોડાની શું છે સ્થિતી?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 15 જૂને સાંજે જખૌની આસપાસ અથડાશે. વાવાઝોડું હજુ પણ જખૌથી 280 કિમીના અંતરે છે. દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘વાવાઝોડું સિવિયર સ્ટોર્મ છે, હાલ તેની સ્થિતિ અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં છે.’15મીની સાંજે વાવાઝોડું કેટલા વાગ્યે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ હવામાન વિભાગ આપ્યો છે. જો કે, તેમાં સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.