બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા


  • Published By :
  • Published Date : 2023-06-14 18:58:54

ગુજરાત પર ઝંઝાવાતી બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ભયાનક ચક્રવાતથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યનું વહીવટી તંત્ર પણ વાવાઝોડાનો સામનો કરવા માટે સાબદુ બન્યું છે ત્યારે આજે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


3.2 ની તિવ્રતાનો ધરતીકંપ


કચ્છમાં આજે સાંજે 5.05 વાગ્યે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર મળ્યા નથી.


વાવાઝોડાની શું છે સ્થિતી?


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે 15 જૂને સાંજે જખૌની આસપાસ અથડાશે. વાવાઝોડું હજુ પણ જખૌથી 280 કિમીના અંતરે છે. દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘વાવાઝોડું સિવિયર સ્ટોર્મ છે, હાલ તેની સ્થિતિ અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વમાં છે.’15મીની સાંજે વાવાઝોડું કેટલા વાગ્યે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ હવામાન વિભાગ આપ્યો છે. જો કે, તેમાં સંભાવનાઓ જ વ્યક્ત કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.