મીતીયાળા ગામમાં ફરી આવ્યો ભૂકંપ, પાંચ મિનીટમાં ત્રણ વખત ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-04 10:41:37

અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વાર નહીં પરંતુ ત્રણ વખત મીતીયાળાની ધરા ધ્રૂજી ઉઠી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 કલાકે આ આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ આંચકાની તિવ્રતા 3.2 આસાપાસ નોંધાઈ હતી. 5 મિનીટના સમયગાળામાં 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.


5 મિનીટમાં આવ્યા ત્રણ ભૂકંપના આંચકા 

રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. અનેક આંચકા એકદમ તીવ્ર હોય છે તો અનેક વખત સામાન્ય આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં ધરતીકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી પરંતુ ત્રણ વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. માત્ર 5 મિનીટની અંદર ધરા ત્રણ વખત ધ્રૂજી હતી.ધરતીકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 


ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ 

છેલ્લા બે મહિનાથી આ ગામોમાં અનેક વખત ભૂકંપનો અનુભવ થયો છે. મીતીયાળા સહિત બાગોયા, સાકરપરા, ધજડી જેવા શહેરોમાં પણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 30 જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂંકપ અનુભવાયો હતો જેમાં 4.2ની તીવ્રતા હતી જ્યારે ખાવડા પાસે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 હતી. બે અઠવાડિયા પહેલા ગાંધીનગરથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જમીનમાં થતી ગતિવિધીઓની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા ભલે સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા હલવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.