મીતીયાળા ગામમાં ફરી આવ્યો ભૂકંપ, પાંચ મિનીટમાં ત્રણ વખત ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-04 10:41:37

અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વાર નહીં પરંતુ ત્રણ વખત મીતીયાળાની ધરા ધ્રૂજી ઉઠી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 કલાકે આ આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ આંચકાની તિવ્રતા 3.2 આસાપાસ નોંધાઈ હતી. 5 મિનીટના સમયગાળામાં 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.


5 મિનીટમાં આવ્યા ત્રણ ભૂકંપના આંચકા 

રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. અનેક આંચકા એકદમ તીવ્ર હોય છે તો અનેક વખત સામાન્ય આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં ધરતીકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી પરંતુ ત્રણ વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. માત્ર 5 મિનીટની અંદર ધરા ત્રણ વખત ધ્રૂજી હતી.ધરતીકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 


ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ 

છેલ્લા બે મહિનાથી આ ગામોમાં અનેક વખત ભૂકંપનો અનુભવ થયો છે. મીતીયાળા સહિત બાગોયા, સાકરપરા, ધજડી જેવા શહેરોમાં પણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 30 જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂંકપ અનુભવાયો હતો જેમાં 4.2ની તીવ્રતા હતી જ્યારે ખાવડા પાસે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 હતી. બે અઠવાડિયા પહેલા ગાંધીનગરથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જમીનમાં થતી ગતિવિધીઓની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા ભલે સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા હલવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.