મીતીયાળા ગામમાં ફરી આવ્યો ભૂકંપ, પાંચ મિનીટમાં ત્રણ વખત ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-04 10:41:37

અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક વાર નહીં પરંતુ ત્રણ વખત મીતીયાળાની ધરા ધ્રૂજી ઉઠી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 કલાકે આ આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ આંચકાની તિવ્રતા 3.2 આસાપાસ નોંધાઈ હતી. 5 મિનીટના સમયગાળામાં 3 વખત ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા.


5 મિનીટમાં આવ્યા ત્રણ ભૂકંપના આંચકા 

રાજ્યના અનેક શહેરોમાં અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. અનેક આંચકા એકદમ તીવ્ર હોય છે તો અનેક વખત સામાન્ય આંચકાનો અનુભવ થતો હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં ધરતીકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી પરંતુ ત્રણ વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. માત્ર 5 મિનીટની અંદર ધરા ત્રણ વખત ધ્રૂજી હતી.ધરતીકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 


ગાંધીનગરથી આવેલી ટીમે કરી હતી તપાસ 

છેલ્લા બે મહિનાથી આ ગામોમાં અનેક વખત ભૂકંપનો અનુભવ થયો છે. મીતીયાળા સહિત બાગોયા, સાકરપરા, ધજડી જેવા શહેરોમાં પણ ભૂકંપનું પ્રમાણ વધ્યું છે. 30 જાન્યુઆરીએ દુધઈ અને ખાવડા પાસે ભૂંકપ અનુભવાયો હતો જેમાં 4.2ની તીવ્રતા હતી જ્યારે ખાવડા પાસે આવેલા ભૂકંપની તીવ્રતા 3.2 હતી. બે અઠવાડિયા પહેલા ગાંધીનગરથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે આ સ્થળની મુલાકાત લીધી હતી અને જમીનમાં થતી ગતિવિધીઓની જાણકારી આપી હતી. ભૂકંપના આંચકા ભલે સામાન્ય હોય પરંતુ વારંવાર ધરા હલવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.    




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .