અમરેલી જિલ્લામાં આવ્યા ધરતીકંપના આંચકા, 10 ગામોની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:20:57

તુર્કીમાં ધરતીકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારની રાત્રે અમરેલીના અનેક વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. અનેક વાર ધરતીકંપ આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.


ગુજરાતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા  

સોમવારના દિવસે તુર્કી તેમજ સિરિયામાં તીવ્ર ભૂકંપના આંચકાના અનુભવ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. આ ઘટનામાં અનેક બિલ્ડીંગ પડી ગઈ હતી. અનેક લોકો બિલ્ડીંગની નીચે પણ દબાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારે મોડી રાત્રે 10 ગામોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળા સહિત અનેક જગ્યાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. વારંવાર ધરતીકંપનો અનુભવ થતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 


અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ 

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મીતીયાળા સહિત સાવરકુંડલા, ખાંભા, સાકરપરા, ધજરડી સહિતના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ હતી. ભલે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી નોંધાઈ હતી પરંતુ અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરના માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.        



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.