અમરેલી જિલ્લામાં આવ્યા ધરતીકંપના આંચકા, 10 ગામોની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:20:57

તુર્કીમાં ધરતીકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારની રાત્રે અમરેલીના અનેક વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. અનેક વાર ધરતીકંપ આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.


ગુજરાતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા  

સોમવારના દિવસે તુર્કી તેમજ સિરિયામાં તીવ્ર ભૂકંપના આંચકાના અનુભવ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. આ ઘટનામાં અનેક બિલ્ડીંગ પડી ગઈ હતી. અનેક લોકો બિલ્ડીંગની નીચે પણ દબાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારે મોડી રાત્રે 10 ગામોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળા સહિત અનેક જગ્યાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. વારંવાર ધરતીકંપનો અનુભવ થતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 


અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ 

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મીતીયાળા સહિત સાવરકુંડલા, ખાંભા, સાકરપરા, ધજરડી સહિતના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ હતી. ભલે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી નોંધાઈ હતી પરંતુ અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરના માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.