અમરેલી જિલ્લામાં આવ્યા ધરતીકંપના આંચકા, 10 ગામોની ધરા ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-02-07 11:20:57

તુર્કીમાં ધરતીકંપને કારણે તારાજી સર્જાઈ છે. અનેક બિલ્ડીંગો ધરાશાયી થઈ છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારની રાત્રે અમરેલીના અનેક વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. અનેક વાર ધરતીકંપ આવવાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.


ગુજરાતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા  

સોમવારના દિવસે તુર્કી તેમજ સિરિયામાં તીવ્ર ભૂકંપના આંચકાના અનુભવ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી. આ ઘટનામાં અનેક બિલ્ડીંગ પડી ગઈ હતી. અનેક લોકો બિલ્ડીંગની નીચે પણ દબાઈ ગયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સોમવારે મોડી રાત્રે 10 ગામોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળા સહિત અનેક જગ્યાઓમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. વારંવાર ધરતીકંપનો અનુભવ થતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. 


અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ 

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવવાને કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મીતીયાળા સહિત સાવરકુંડલા, ખાંભા, સાકરપરા, ધજરડી સહિતના વિસ્તારોની ધરા ધ્રુજી ઉઠી હતી. મીતીયાળામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ હતી. ભલે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ઓછી નોંધાઈ હતી પરંતુ અનેક વખત ધરા ધ્રૂજતા લોકોમાં ડરના માહોલ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.