કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-20 13:48:01

ગુજરાતમાં ધરતીકંપના આંચકાનો અનુભવ સતત થઈ રહ્યો છે. અનેક વખત ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એક વખત કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. તે પહેલા સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.   


ફરી એક વખત કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા  

કચ્છ જિલ્લાની ધરા ફરી એક વખત ધ્રૂજી હતી. સોમવારે 3.2 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. ધરતીકંપના અનેક વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ અનેક વખત ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્વો સ્વાભાવિક છે. 


અનેક વખત ધ્રૂજી છે ધરા 

થોડા દિવસો પહેલા સુરતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સુરતમાં 3.8ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. 8 ફ્રેબુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રીના સમયે 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 9 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રૂજી હતી. અનેક વખત ભૂકંપ આવવાથી લોકો ડરમાં રહેવા મજબૂર બન્યા છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.