કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-20 13:48:01

ગુજરાતમાં ધરતીકંપના આંચકાનો અનુભવ સતત થઈ રહ્યો છે. અનેક વખત ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એક વખત કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. તે પહેલા સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.   


ફરી એક વખત કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા  

કચ્છ જિલ્લાની ધરા ફરી એક વખત ધ્રૂજી હતી. સોમવારે 3.2 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. ધરતીકંપના અનેક વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ અનેક વખત ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્વો સ્વાભાવિક છે. 


અનેક વખત ધ્રૂજી છે ધરા 

થોડા દિવસો પહેલા સુરતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સુરતમાં 3.8ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. 8 ફ્રેબુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રીના સમયે 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 9 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રૂજી હતી. અનેક વખત ભૂકંપ આવવાથી લોકો ડરમાં રહેવા મજબૂર બન્યા છે.        




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.