કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે લોકોમાં વ્યાપી ઉઠ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-02-20 13:48:01

ગુજરાતમાં ધરતીકંપના આંચકાનો અનુભવ સતત થઈ રહ્યો છે. અનેક વખત ધરા ધ્રૂજી રહી છે. ત્યારે ફરી એક વખત કચ્છ જિલ્લામાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું છે. તે પહેલા સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.   


ફરી એક વખત કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા  

કચ્છ જિલ્લાની ધરા ફરી એક વખત ધ્રૂજી હતી. સોમવારે 3.2 તીવ્રતા વાળા ભૂકંપનો અનુભવ થયો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. અનેક વખત સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. ધરતીકંપના અનેક વખત આંચકા આવવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ અનેક વખત ભૂકંપનો અનુભવ થતા લોકોમાં ડર વ્યાપી ઉઠ્વો સ્વાભાવિક છે. 


અનેક વખત ધ્રૂજી છે ધરા 

થોડા દિવસો પહેલા સુરતમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સુરતમાં 3.8ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. 8 ફ્રેબુઆરીએ કચ્છના ભચાઉમાં રાત્રીના સમયે 3.0 તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 9 ફેબ્રુઆરીએ પણ ધરા ધ્રૂજી હતી. અનેક વખત ભૂકંપ આવવાથી લોકો ડરમાં રહેવા મજબૂર બન્યા છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.