લખનઉ,દિલ્હી બાદ પંજાબમાં અનુભવાયા ભૂકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2022-11-14 09:03:24

આજે વહેલી સવારે પંજાબના અમૃતસરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, પંજાબના અમૃતસરથી 145 કિમી ઉત્તર-પશ્ચિમમાં સવારે 3.42 કલાકે ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

Earthquake tremors felt in Delhi, second time in a week | Flipboard

નોંધનીય છે કે ઉત્તર ભારતના મધ્યમાં થોડા દિવસોમાં ધરા ઘણી વખત ધ્રૂજી છે. ગત સપ્તાહે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે.


નિષ્ણાતોનું કહેવું છે કે હિમાલયના ક્ષેત્રમાં ટેકટોનિક પ્લેટોની અસ્થિરતાને કારણે ઉચ્ચ તીવ્રતાના ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ભૂસ્તરશાસ્ત્રી અજય પોલે જણાવ્યું હતું કે ભારતીય પ્લેટ પર યુરેશિયન પ્લેટના સતત દબાણને કારણે તેની નીચે સંગ્રહિત ઊર્જા સમયાંતરે ભૂકંપના સ્વરૂપમાં બહાર આવે છે.


છેલ્લા 100 વર્ષમાં ચાર મોટા ભૂકંપ

છેલ્લા 100 વર્ષો દરમિયાન હિમાલયના ક્ષેત્રમાં ચાર મોટા ભૂકંપ નોંધાયા છે. જેમાં 1897માં શિલોંગ, 1905માં કાંગડા, 1934માં બિહાર-નેપાળ અને 1950માં આસામનો સમાવેશ થાય છે. જે બાદ 1991માં ઉત્તરકાશી, 1999માં ચમોલી અને 2015માં નેપાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.