દેશના આ બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, વહેલી સવારે ધ્રુજી હતી ધરા


  • Published By :
  • Published Date : 2023-04-12 11:56:41

ભૂકંપ આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે દેશમાં બે જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બિહારના અરરિયામાં તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ધરતીકંપ અનુભવાયો હતો. બંને જગ્યાઓ પર ભૂકંપની તીવ્રતા 4.3 આસપાસ નોંધાઈ હતી. બુધવાર સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

    

બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના તેમજ વિશ્વના અનેક જગ્યાઓ પર તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા સિરિયા અને તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર થયા હતા. ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. 


ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ  

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર બિહારના અરરિયામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 4.3 તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. તે સિવાય પશ્ચિમ બંગાળની ધરા પણ ધ્રુજી હતી. પશ્ચિમ બંગાળના સિલીગુડીથી 140 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 4.3ની તીવ્રતા વાળો ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ હોય અથવા તો નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.