દેશના આ બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, વહેલી સવારે ધ્રુજી હતી ધરા


  • Published By :
  • Published Date : 2023-04-12 11:56:41

ભૂકંપ આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે દેશમાં બે જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બિહારના અરરિયામાં તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ધરતીકંપ અનુભવાયો હતો. બંને જગ્યાઓ પર ભૂકંપની તીવ્રતા 4.3 આસપાસ નોંધાઈ હતી. બુધવાર સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

    

બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના તેમજ વિશ્વના અનેક જગ્યાઓ પર તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા સિરિયા અને તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર થયા હતા. ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. 


ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ  

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર બિહારના અરરિયામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 4.3 તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. તે સિવાય પશ્ચિમ બંગાળની ધરા પણ ધ્રુજી હતી. પશ્ચિમ બંગાળના સિલીગુડીથી 140 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 4.3ની તીવ્રતા વાળો ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ હોય અથવા તો નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.         




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.