દેશના આ બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, વહેલી સવારે ધ્રુજી હતી ધરા


  • Published By :
  • Published Date : 2023-04-12 11:56:41

ભૂકંપ આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે દેશમાં બે જગ્યાઓ પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. બિહારના અરરિયામાં તેમજ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ધરતીકંપ અનુભવાયો હતો. બંને જગ્યાઓ પર ભૂકંપની તીવ્રતા 4.3 આસપાસ નોંધાઈ હતી. બુધવાર સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. હજી સુધી આ ભૂકંપને કારણે નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.

    

બે રાજ્યોમાં અનુભવાયા ભૂકંપના આંચકા 

અનેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. દેશના તેમજ વિશ્વના અનેક જગ્યાઓ પર તીવ્રતા વાળા ભૂકંપના આંચકાનો અનુભવ થતો રહે છે. થોડા સમય પહેલા સિરિયા અને તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો બેઘર થયા હતા. ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. 


ભૂકંપની તીવ્રતા 4.3ની નોંધાઈ  

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર બિહારના અરરિયામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ 4.3 તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઉંડાઈ 10 કિલોમીટરની હતી. તે સિવાય પશ્ચિમ બંગાળની ધરા પણ ધ્રુજી હતી. પશ્ચિમ બંગાળના સિલીગુડીથી 140 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. 4.3ની તીવ્રતા વાળો ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ હોય અથવા તો નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.