ઉત્તરાખંડમાં અનુભવાય ભૂકંપના આંચકા,ઋષિકેશ રહ્યું ભૂકંપનું કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2022-11-12 17:49:09

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 4.25 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા . મળતી માહિતી મુજબ,ઋષિકેશ ભૂકંપનું કેન્દ્ર હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી.લોકોમાં ભયનો માહોલ ફેલાયો.

Uttarakhand Earthquake: Latest News, Photos, Videos on Uttarakhand  Earthquake - NDTV.COM

આ પહેલા 9 નવેમ્બરના રોજ વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6.27 કલાકે લગભગ 2 વાગ્યા બાદ બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રીના જાગતા લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, ભૂકંપનું પ્રથમ કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. બીજી તરફ, બીજું કેન્દ્ર પીધોરાગઢ હતું, જેની તીવ્રતા 4.3 હતી.

Can a city like Kohima in Nagaland survive a major earthquake? – NAGA  REPUBLICNAGA REPUBLIC



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.