અમરેલી પાસે અનુભવાયા ભૂકંપના આંચકા, 3.1ની તીવ્રતાથી ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-23 11:19:12

રાજ્યમાં ફરી એક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. અમરેલીની ધરા ધ્રુજી છે. 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત અમરેલીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. સવારે 6 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. ધરતીકંપના આંચકા સતત આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


અનેક વખત અનુભવાયા છે ભૂકંપના આંચકા 

ઘણાં સમયથી અમરેલી નજીક ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી છે પરંતુ ધરતીકંપ આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અમરેલીના ગીરકાંઠાના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતીકંપનો અહેસાસ થયો હતો. ત્યારે આજે ફરી અમરેલીની ધરતી હલી છે. રિક્ટર સ્કેલ પર ભલે તીવ્રતા ઓછી હોય પરંતુ સતત આવતા ભૂકંપથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.