અમરેલી પાસે અનુભવાયા ભૂકંપના આંચકા, 3.1ની તીવ્રતાથી ધ્રુજી ધરા


  • Published By :
  • Published Date : 2023-02-23 11:19:12

રાજ્યમાં ફરી એક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થયો છે. અમરેલીની ધરા ધ્રુજી છે. 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. અનેક વખત અમરેલીમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થતો હોય છે. સવારે 6 વાગ્યાની આસપાસ ધરા ધ્રુજી હતી. ધરતીકંપના આંચકા સતત આવવાથી લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે.


અનેક વખત અનુભવાયા છે ભૂકંપના આંચકા 

ઘણાં સમયથી અમરેલી નજીક ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભલે ઓછી છે પરંતુ ધરતીકંપ આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અમરેલીના ગીરકાંઠાના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતીકંપનો અહેસાસ થયો હતો. ત્યારે આજે ફરી અમરેલીની ધરતી હલી છે. રિક્ટર સ્કેલ પર ભલે તીવ્રતા ઓછી હોય પરંતુ સતત આવતા ભૂકંપથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.