PM કિસાન સન્માન નિધિ યોજના માટે 3 વર્ષમાં રૂ. 2 લાખ કરોડ ફાળવાયા, 11.3 કરોડ ખેડૂતોને થયો લાભ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:35:58

ખેડૂતોને આર્થિક મદદ કરવાના આશયથી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આર્થિક સર્વેક્ષણ 2023 રજૂ કરતાં મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું કે દેશના 11.3 કરોડ લોકોને PM કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ 3 વર્ષમાં લાભાર્થી ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.


કિસાન સન્માન નિધિ યોજના શું છે?


કૃષિ કાર્યો માટે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં 2,000 રૂપિયા કરીને સીધી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારે સપ્ટેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12મા હપ્તા માટે 8 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.