PM કિસાન સન્માન નિધિ યોજના માટે 3 વર્ષમાં રૂ. 2 લાખ કરોડ ફાળવાયા, 11.3 કરોડ ખેડૂતોને થયો લાભ


  • Published By :
  • Published Date : 2023-01-31 18:35:58

ખેડૂતોને આર્થિક મદદ કરવાના આશયથી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આર્થિક સર્વેક્ષણ 2023 રજૂ કરતાં મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરને જણાવ્યું કે દેશના 11.3 કરોડ લોકોને PM કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ 3 વર્ષમાં લાભાર્થી ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.


કિસાન સન્માન નિધિ યોજના શું છે?


કૃષિ કાર્યો માટે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં 2,000 રૂપિયા કરીને સીધી ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારે સપ્ટેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12મા હપ્તા માટે 8 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.