મોંઘવારી વચ્ચે ફરી વધ્યા સિંગતેલના ભાવ! સતત ત્રીજા દિવસે ભાવ વધતા તેલના ભાવ પહોંચ્યા ત્રણ હજાર નજીક!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:50:07

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રતિદિન કોઈને કોઈ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભાવ વધારે થતો હોય છે. કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને આસપાસ પહોંચી ગયો છે. 


ત્રણ દિવસમાં થયો 100 રુપિયાનો ભાવ વધારો!

એક તરફ લોકોની આવક સતત ઘટતી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ સિંગતેલમાં વધ્યો છે. મગફળી અને કપાસની આવક ઓછી થવાને કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. ભાવ વધતા ડબ્બાની કિંમત 2860થી વધીને 2960 થઈ ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધતા મધ્યમ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ખોરવાઈ ગયું છે. 


સિંગતેલના ભાવમાં જ કરાયો છે વધારો! 

મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ દિવસો દરમિયાન તેલની માગ પણ સામાન્ય કરતા વધતી હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો ભાવ વધારો ગૃહિણીના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્રણ હજારની આસપાસ સિંગતેલના ભાવ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ગયા અઠવાડિએ વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 50થી 60 રુપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલ સિવાય બીજા કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.     

       

મધ્યમ પરિવારને ભાવ વધારાની થાય છે સીધી અસર!

ઉનાળા દરમિયાન પડેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસની આવક ઓછી થઈ છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ પરિવારને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળા પાકને મોટા પાયે અસર થઈ છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.