મોંઘવારી વચ્ચે ફરી વધ્યા સિંગતેલના ભાવ! સતત ત્રીજા દિવસે ભાવ વધતા તેલના ભાવ પહોંચ્યા ત્રણ હજાર નજીક!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:50:07

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રતિદિન કોઈને કોઈ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભાવ વધારે થતો હોય છે. કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને આસપાસ પહોંચી ગયો છે. 


ત્રણ દિવસમાં થયો 100 રુપિયાનો ભાવ વધારો!

એક તરફ લોકોની આવક સતત ઘટતી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ સિંગતેલમાં વધ્યો છે. મગફળી અને કપાસની આવક ઓછી થવાને કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. ભાવ વધતા ડબ્બાની કિંમત 2860થી વધીને 2960 થઈ ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધતા મધ્યમ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ખોરવાઈ ગયું છે. 


સિંગતેલના ભાવમાં જ કરાયો છે વધારો! 

મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ દિવસો દરમિયાન તેલની માગ પણ સામાન્ય કરતા વધતી હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો ભાવ વધારો ગૃહિણીના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્રણ હજારની આસપાસ સિંગતેલના ભાવ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ગયા અઠવાડિએ વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 50થી 60 રુપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલ સિવાય બીજા કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.     

       

મધ્યમ પરિવારને ભાવ વધારાની થાય છે સીધી અસર!

ઉનાળા દરમિયાન પડેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસની આવક ઓછી થઈ છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ પરિવારને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળા પાકને મોટા પાયે અસર થઈ છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે