મોંઘવારી વચ્ચે ફરી વધ્યા સિંગતેલના ભાવ! સતત ત્રીજા દિવસે ભાવ વધતા તેલના ભાવ પહોંચ્યા ત્રણ હજાર નજીક!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:50:07

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રતિદિન કોઈને કોઈ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભાવ વધારે થતો હોય છે. કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને આસપાસ પહોંચી ગયો છે. 


ત્રણ દિવસમાં થયો 100 રુપિયાનો ભાવ વધારો!

એક તરફ લોકોની આવક સતત ઘટતી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ સિંગતેલમાં વધ્યો છે. મગફળી અને કપાસની આવક ઓછી થવાને કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. ભાવ વધતા ડબ્બાની કિંમત 2860થી વધીને 2960 થઈ ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધતા મધ્યમ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ખોરવાઈ ગયું છે. 


સિંગતેલના ભાવમાં જ કરાયો છે વધારો! 

મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ દિવસો દરમિયાન તેલની માગ પણ સામાન્ય કરતા વધતી હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો ભાવ વધારો ગૃહિણીના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્રણ હજારની આસપાસ સિંગતેલના ભાવ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ગયા અઠવાડિએ વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 50થી 60 રુપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલ સિવાય બીજા કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.     

       

મધ્યમ પરિવારને ભાવ વધારાની થાય છે સીધી અસર!

ઉનાળા દરમિયાન પડેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસની આવક ઓછી થઈ છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ પરિવારને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળા પાકને મોટા પાયે અસર થઈ છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.