મોંઘવારી વચ્ચે ફરી વધ્યા સિંગતેલના ભાવ! સતત ત્રીજા દિવસે ભાવ વધતા તેલના ભાવ પહોંચ્યા ત્રણ હજાર નજીક!


  • Published By :
  • Published Date : 2023-05-09 15:50:07

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. પ્રતિદિન કોઈને કોઈ જીવન જરૂરીયાતની વસ્તુમાં ભાવ વધારે થતો હોય છે. કોઈ વખત તેલના ભાવમાં વધારો થાય છે તો કોઈ વખત દૂધના ભાવમાં વધારો થાય છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભાવ વધારો થયો છે. સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેને કારણે સીંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને આસપાસ પહોંચી ગયો છે. 


ત્રણ દિવસમાં થયો 100 રુપિયાનો ભાવ વધારો!

એક તરફ લોકોની આવક સતત ઘટતી જઈ રહી છે તો બીજી તરફ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 100 રુપિયાનો ભાવ સિંગતેલમાં વધ્યો છે. મગફળી અને કપાસની આવક ઓછી થવાને કારણે તેલના ભાવમાં ભડકો થયો છે. ભાવ વધતા ડબ્બાની કિંમત 2860થી વધીને 2960 થઈ ગઈ છે. માત્ર ત્રણ દિવસમાં સો રૂપિયાનો ભાવ વધતા મધ્યમ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. બજેટ ખોરવાઈ ગયું છે. 


સિંગતેલના ભાવમાં જ કરાયો છે વધારો! 

મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આ દિવસો દરમિયાન તેલની માગ પણ સામાન્ય કરતા વધતી હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલો ભાવ વધારો ગૃહિણીના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્રણ હજારની આસપાસ સિંગતેલના ભાવ પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં ગયા અઠવાડિએ વધારો નોંધાયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 50થી 60 રુપિયાનો ભાવવધારો થયો છે. સિંગતેલ સિવાય બીજા કોઈ તેલના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો.     

       

મધ્યમ પરિવારને ભાવ વધારાની થાય છે સીધી અસર!

ઉનાળા દરમિયાન પડેલા વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસની આવક ઓછી થઈ છે. ખાદ્યતેલોના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ પરિવારને મોંઘવારી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉનાળા પાકને મોટા પાયે અસર થઈ છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.