શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની સરકારી શાળા શિક્ષણની લાંચ નગરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 16:55:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના શિક્ષણના મુદ્દાને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મોડલના શિક્ષણનો પરચો વિધાનસભાના આંકડામાં ગુજરાતે જોયો હતો જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ 1 શિક્ષકના ભરોસે ચાલતી હતી. ત્યારે ભાવનગરથી શાળાના સફાઈ કર્મચારી પાસેથી આચાર્યએ અડધી ગ્રાન્ટ માગી હતી. સફાઈ કર્મચારીએ આચાર્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે. 


ગ્રાન્ટના અડધા તારા, અડધા મારાઃ આચાર્ય

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની પડવી પ્રાથમિક શાળાના સફાઈકર્મચારી હિંમત ચૌહાણે આચાર્ય પર આક્ષેપ લગાવ્યો છે કે બે માસની સફાઈની ગ્રાન્ટમાંથી આચાર્યએ અડધી ગ્રાન્ટની માગણી કરી છે. સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે આચાર્યએ ધમકી આપી હતી કે જો ગ્રાન્ટ નહીં આપે તો તને જોઈ લઈશ. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીએ પણ તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરી હતી, પરંતુ અધિકારીઓએ તપાસનો વાયદો કરી કોઈ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. 


TDO અને DDOએ કહ્યું દોડવું હોય એટલું દોડી લોઃ સફાઈકર્મી

સફાઈ કર્મચારી હિંમત ચૌહાણે વીડિયો બનાવી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. સફાઈકર્મચારી આક્ષેપ કરી રહ્યા છે કે TDO અને DDOએ તેમને જવાબ આપ્યો છે કે દોડવું હોય એટલું દોડી લો કંઈ નહીં થાય. 


ગ્રાન્ટમાંથી 5 હજાર રૂપિયાની આચાર્યએ માગી લાંચઃ સફાઈકર્મચારી 

ભાવનગરની શાળામાં સફાઈકર્મચારીએ જણાવ્યું હતું કે, બે મહિનાની સફાઈ માટેની 10 હજાર ગ્રાન્ટ મળે છે પણ આચાર્ય 5 હજાર પોતાની પાસે રાખવાની વાત કરે છે. સફાઈ કર્મચારીનું કહેવું છે કે અત્યારની મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે અઢી હજારમાં કેમ ઘર ચલાવવું. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 500થી વધુ હોય તો શાળાને માસિક 5 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આચાર્યના વાંકે વિદ્યાર્થીઓ સફાઈ કરવા મજબૂર બની રહ્યા છે. 






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.