શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની સરકારી શાળા શિક્ષણની લાંચ નગરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 16:55:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના શિક્ષણના મુદ્દાને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મોડલના શિક્ષણનો પરચો વિધાનસભાના આંકડામાં ગુજરાતે જોયો હતો જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ 1 શિક્ષકના ભરોસે ચાલતી હતી. ત્યારે ભાવનગરથી શાળાના સફાઈ કર્મચારી પાસેથી આચાર્યએ અડધી ગ્રાન્ટ માગી હતી. સફાઈ કર્મચારીએ આચાર્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે. 


ગ્રાન્ટના અડધા તારા, અડધા મારાઃ આચાર્ય

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની પડવી પ્રાથમિક શાળાના સફાઈકર્મચારી હિંમત ચૌહાણે આચાર્ય પર આક્ષેપ લગાવ્યો છે કે બે માસની સફાઈની ગ્રાન્ટમાંથી આચાર્યએ અડધી ગ્રાન્ટની માગણી કરી છે. સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે આચાર્યએ ધમકી આપી હતી કે જો ગ્રાન્ટ નહીં આપે તો તને જોઈ લઈશ. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીએ પણ તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરી હતી, પરંતુ અધિકારીઓએ તપાસનો વાયદો કરી કોઈ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. 


TDO અને DDOએ કહ્યું દોડવું હોય એટલું દોડી લોઃ સફાઈકર્મી

સફાઈ કર્મચારી હિંમત ચૌહાણે વીડિયો બનાવી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. સફાઈકર્મચારી આક્ષેપ કરી રહ્યા છે કે TDO અને DDOએ તેમને જવાબ આપ્યો છે કે દોડવું હોય એટલું દોડી લો કંઈ નહીં થાય. 


ગ્રાન્ટમાંથી 5 હજાર રૂપિયાની આચાર્યએ માગી લાંચઃ સફાઈકર્મચારી 

ભાવનગરની શાળામાં સફાઈકર્મચારીએ જણાવ્યું હતું કે, બે મહિનાની સફાઈ માટેની 10 હજાર ગ્રાન્ટ મળે છે પણ આચાર્ય 5 હજાર પોતાની પાસે રાખવાની વાત કરે છે. સફાઈ કર્મચારીનું કહેવું છે કે અત્યારની મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે અઢી હજારમાં કેમ ઘર ચલાવવું. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 500થી વધુ હોય તો શાળાને માસિક 5 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આચાર્યના વાંકે વિદ્યાર્થીઓ સફાઈ કરવા મજબૂર બની રહ્યા છે. 






રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.