શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની સરકારી શાળા શિક્ષણની લાંચ નગરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 16:55:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના શિક્ષણના મુદ્દાને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મોડલના શિક્ષણનો પરચો વિધાનસભાના આંકડામાં ગુજરાતે જોયો હતો જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ 1 શિક્ષકના ભરોસે ચાલતી હતી. ત્યારે ભાવનગરથી શાળાના સફાઈ કર્મચારી પાસેથી આચાર્યએ અડધી ગ્રાન્ટ માગી હતી. સફાઈ કર્મચારીએ આચાર્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે. 


ગ્રાન્ટના અડધા તારા, અડધા મારાઃ આચાર્ય

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની પડવી પ્રાથમિક શાળાના સફાઈકર્મચારી હિંમત ચૌહાણે આચાર્ય પર આક્ષેપ લગાવ્યો છે કે બે માસની સફાઈની ગ્રાન્ટમાંથી આચાર્યએ અડધી ગ્રાન્ટની માગણી કરી છે. સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે આચાર્યએ ધમકી આપી હતી કે જો ગ્રાન્ટ નહીં આપે તો તને જોઈ લઈશ. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીએ પણ તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરી હતી, પરંતુ અધિકારીઓએ તપાસનો વાયદો કરી કોઈ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. 


TDO અને DDOએ કહ્યું દોડવું હોય એટલું દોડી લોઃ સફાઈકર્મી

સફાઈ કર્મચારી હિંમત ચૌહાણે વીડિયો બનાવી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. સફાઈકર્મચારી આક્ષેપ કરી રહ્યા છે કે TDO અને DDOએ તેમને જવાબ આપ્યો છે કે દોડવું હોય એટલું દોડી લો કંઈ નહીં થાય. 


ગ્રાન્ટમાંથી 5 હજાર રૂપિયાની આચાર્યએ માગી લાંચઃ સફાઈકર્મચારી 

ભાવનગરની શાળામાં સફાઈકર્મચારીએ જણાવ્યું હતું કે, બે મહિનાની સફાઈ માટેની 10 હજાર ગ્રાન્ટ મળે છે પણ આચાર્ય 5 હજાર પોતાની પાસે રાખવાની વાત કરે છે. સફાઈ કર્મચારીનું કહેવું છે કે અત્યારની મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે અઢી હજારમાં કેમ ઘર ચલાવવું. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 500થી વધુ હોય તો શાળાને માસિક 5 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આચાર્યના વાંકે વિદ્યાર્થીઓ સફાઈ કરવા મજબૂર બની રહ્યા છે. 






ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે