શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની સરકારી શાળા શિક્ષણની લાંચ નગરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 16:55:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના શિક્ષણના મુદ્દાને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત મોડલના શિક્ષણનો પરચો વિધાનસભાના આંકડામાં ગુજરાતે જોયો હતો જેમાં મોટા ભાગની ગુજરાતી શાળાઓ 1 શિક્ષકના ભરોસે ચાલતી હતી. ત્યારે ભાવનગરથી શાળાના સફાઈ કર્મચારી પાસેથી આચાર્યએ અડધી ગ્રાન્ટ માગી હતી. સફાઈ કર્મચારીએ આચાર્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પર પણ આક્ષેપ કર્યા છે. 


ગ્રાન્ટના અડધા તારા, અડધા મારાઃ આચાર્ય

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના વિસ્તારની પડવી પ્રાથમિક શાળાના સફાઈકર્મચારી હિંમત ચૌહાણે આચાર્ય પર આક્ષેપ લગાવ્યો છે કે બે માસની સફાઈની ગ્રાન્ટમાંથી આચાર્યએ અડધી ગ્રાન્ટની માગણી કરી છે. સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે આચાર્યએ ધમકી આપી હતી કે જો ગ્રાન્ટ નહીં આપે તો તને જોઈ લઈશ. રોષે ભરાયેલા સફાઈ કર્મચારીએ પણ તાલુકા વિકાસ અધિકારી અને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરી હતી, પરંતુ અધિકારીઓએ તપાસનો વાયદો કરી કોઈ તપાસ કરી નથી તેવો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો છે. 


TDO અને DDOએ કહ્યું દોડવું હોય એટલું દોડી લોઃ સફાઈકર્મી

સફાઈ કર્મચારી હિંમત ચૌહાણે વીડિયો બનાવી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. સફાઈકર્મચારી આક્ષેપ કરી રહ્યા છે કે TDO અને DDOએ તેમને જવાબ આપ્યો છે કે દોડવું હોય એટલું દોડી લો કંઈ નહીં થાય. 


ગ્રાન્ટમાંથી 5 હજાર રૂપિયાની આચાર્યએ માગી લાંચઃ સફાઈકર્મચારી 

ભાવનગરની શાળામાં સફાઈકર્મચારીએ જણાવ્યું હતું કે, બે મહિનાની સફાઈ માટેની 10 હજાર ગ્રાન્ટ મળે છે પણ આચાર્ય 5 હજાર પોતાની પાસે રાખવાની વાત કરે છે. સફાઈ કર્મચારીનું કહેવું છે કે અત્યારની મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ છે અઢી હજારમાં કેમ ઘર ચલાવવું. ત્યારે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 500થી વધુ હોય તો શાળાને માસિક 5 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળે છે. આચાર્યના વાંકે વિદ્યાર્થીઓ સફાઈ કરવા મજબૂર બની રહ્યા છે. 






સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"